SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દેખાય તેને સમજી, સુધારી, તથા પ્રકારે આચરણ કરે છે. જો એમ જણાય કે પોતે ક્રિયાઓમાં જ અટવાઈ ગયો છે અને જ્ઞાનની ઉપેક્ષા કરી રહ્યો છે તો તે કોઈ પણ પ્રકારના આગ્રહ વિના જ્ઞાનને ગ્રહણ કરે છે. આમ, તેનામાં ક્રિયાજડત્વ પ્રવેશી ગયું હોય તો આત્મનિરીક્ષણ વડે શોધી કાઢે છે અને તે દોષનું ઉમૂલન કરે છે. વળી, મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના માત્ર જ્ઞાનનો આગ્રહ રાખનાર શુષ્કજ્ઞાની એ માર્ગ ભૂલેલા જીવોનો બીજો પ્રકાર છે. તે મોક્ષમાર્ગની સાચી વિધિ સમજ્યો નથી અને સસ્તુશાસ્ત્રની બાહ્ય આરાધનાથી સંતોષ માની બેસે છે, તેથી તેનો વિકાસ રૂંધાય છે. તે વાંચનાદિ કરતો હોવા છતાં યથાર્થ અંતરંગ નિર્ણયના અભાવમાં તેનું વલણ પ્રથમ જેવું બહિર્મુખ જ રહેવા પામે છે. પોતાને આત્માનો બોધ સમજાઈ ગયો છે એમ તે માને છે, પણ વાસ્તવમાં તેનું મન સ્વરૂપ તરફ વળ્યું જ નથી હોતું, પરંતુ સંસારમાં જ ભટક્યા કરતું હોય છે. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં સ્વરૂપાનુસંધાનના અભ્યાસના અભાવના કારણે તેને સ્વરૂપનું યથાર્થ ભાવભાસન થતું નથી. સ્વરૂપ વિષે અનેક વાર વાંચ્યું હોવા છતાં અને તે વિષે સૂક્ષ્મ ચર્ચા કરતો હોવા છતાં તે અનુભૂતિના વિષયમાં આગળ વધતો નથી. માત્ર શાસ્ત્રસ્વાધ્યાયથી ધ્યેયપ્રાપ્તિ થઈ જશે એ ભ્રમણાના કારણે તેને નિજાવલોકન, ભેદજ્ઞાન તથા અંતર્મુખતાની આવશ્યકતા અને અગત્યતા ભાસતી નથી. આત્મપ્રાપ્તિની યથાર્થ રુચિની ખામી તથા વૈરાગ્યના અભાવના કારણે તેને ઉપરછલ્લા શાસ્ત્રાધ્યયનમાં કૃતકૃત્યતા ભાસે છે. તે ગોખેલાં સૂત્રો બોલી સંતોષ માને છે, પરંતુ જ્ઞાનસ્વભાવની અનન્ય રુચિ વિના આત્મજ્ઞાન થતું નથી. અગિયાર અંગ સુધી ભણી જાય પણ ચૈતન્યસ્વભાવ પ્રત્યે લક્ષ ન કરે તો તેનું બધું જ જ્ઞાન મિથ્યા છે. તે ગમે તેટલું શાસ્ત્રવાંચન કરે પણ તેથી ધર્મ થાય નહીં, કારણ કે ધર્મ નિજાત્માના આશ્રયે થાય છે. આમ, સ્વભાવના આશ્રય વિના ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરવાથી સંસારનું પરિભ્રમણ ટળતું નથી, તેમજ કેવળ બૌદ્ધિક સમજણથી દેહાત્મબુદ્ધિ ટળતી નથી. જે જીવ આત્માર્થી છે તે શાસ્ત્રાભ્યાસથી સંતોષાતો નથી, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે' એવી સભાનતા સાથે અને સત્ની ઊંડી જિજ્ઞાસાના સથવારે તે મોક્ષપંથે આગળ ધપતો જાય છે. તે શાસ્ત્રની ચર્ચા-વિચારણામાં ભાગ લે છે, પરંતુ તેનું હૃદય ભાવથી ભીંજાયેલું હોવાથી જ્ઞાનની શુષ્કતા તેને સતાવતી નથી. શુષ્કતા આવી ન જાય તેની તે સતત જાગૃતિ રાખે છે અને આવી જાય તો તેમાંથી કઈ રીતે છૂટી શકાય તેવી શોધકવૃત્તિ ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૮૪ વોઢ-નિમિત્તે સત્યુ વિશ૦, ટોડ઼ પઢડુ રૂત્યુ || तेण वि बोहु ण जासु वरु सो किं मूढ ण तत्थु ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy