SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૭ ૧૯૭ વસ્તુ કે પરિસ્થિતિરૂપ અશુભ નિમિત્તોનો ત્યાગ કરી, અસંગ રહી, ચિત્તસ્થિરતા દ્વારા સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ સુગમતાથી થઈ શકે છે.' આમ, જીવ પરદ્રવ્યનો તથા તેની આસક્તિનો ત્યાગ કરી આત્મસન્મુખ થાય તો આત્માનો અનુભવ થાય, પરંતુ જ્યાં ત્યાગ-વૈરાગ્યની રુચિ નથી હોતી ત્યાં બહિર્મુખતા બળવત્તર હોય છે અને અંતર્મુખતાનો અભાવ હોય છે. અનાદિની પરપદાર્થની રુચિને પલટાવ્યા વગર શાસ્ત્રાભ્યાસ કર્યો હોવાથી ઉપયોગ અંતર્મુખ થયો નથી. સ્વરૂપની યથાર્થ રુચિના અભાવના કારણે સ્વરૂપપ્રાપ્તિ થઈ નથી. અંતરની રુચિ વિના અંતરમાં જવાતું નથી. જીવનાં પરિણામ ત્યાગ-વૈરાગ્યથી તરબોળ થતાં પરની રુચિ નાશ પામે છે, સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટે છે અને ઉપયોગ અંતર્મુખ થતાં આત્માનુભવ થાય છે. ત્યાગ-વૈરાગ્ય માટે કરવામાં આવતા શ્રમનું આવું અચિંત્ય, અનુપમ અને અમૂલ્ય ફળ હોવાથી આત્માથી તેમાં જ પ્રવર્તે છે; પરંતુ જેના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્ય નથી તેની રુચિ પલટાતી નથી, પરપદાર્થોની આસક્તિ છૂટતી નથી અને સ્વાનુભૂતિ પ્રગટતી નથી. તેથી જ જ્ઞાનીઓએ ત્યાગ-વૈરાગ્યનું સેવન કરવાની ભલામણ કરી છે. ત્યાગ-વૈરાગ્ય સહજસ્વભાવરૂપ કરવાથી જ આત્મદશા પ્રગટે છે. આ પ્રમાણે શ્રીમદે ગાથાની પ્રથમ પંક્તિમાં ત્યાગ-વૈરાગ્યની આવશ્યકતા બતાવી તેનાં સેવનની પ્રેરણા કરી છે, પરંતુ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ વીસરીને ફક્ત બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં જ સંતુષ્ટ ન થઈ જવાય તે માટે બીજી પંક્તિમાં શ્રીમદ્ ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે માત્ર બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં રચ્યાપચ્યા રહેવાથી સ્વરૂપલક્ષ વીસરી જવાય છે. સ્વરૂપલક્ષ વિનાની ધાર્મિક પ્રવૃત્તિના સભાવમાં અંતર તો ઔદયિક ભાવોમાં જ બદ્ધ રહી જાય છે અને જીવ અહ-મમના આવેગોમાં જ તણાતો રહે છે. હું ધર્મ કરી રહ્યો છું' એ ભ્રમમાં રહી વાસ્તવમાં તો તે દ્વારા મોહની જડને જ વધુ દઢ કરે છે. નિજસ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન થયા વિના માત્ર બાહ્ય ત્યાગ-વૈરાગ્યાદિથી ચિત્તમાં પડેલા રાગ, દ્વેષ, તૃષ્ણા, મોહાદિના સંસ્કારોની જડ ઉખેડી શકાતી નથી, તેમજ સ્વરૂપાનુસંધાન વિના કેવળ બાહ્ય ત્યાગાદિ વડે સધાયેલી ચિત્તની એકાગ્રતા પણ ઠગારી નીવડે છે. ચિત્તનું અતિક્રમણ કરવાનું ધ્યેય એનાથી સિદ્ધ થઈ શકતું નથી. સ્વરૂપના બોધ વિના એકાગ્ર થયેલું ચિત્ત અલ્પ નિમિત્ત મળતાં પુનઃ ક્ષુબ્ધ બની જાય ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૧, શ્લોક ૧૪૪ 'किमालकोलाहलैरमलबोधसंपन्निधेः समस्ति यदि कौतुकं किल तवात्मनो दर्शन । निरुद्धसकलेन्द्रियो रहसि मुक्तसंगग्रहः कियन्त्यपि दिनान्यतः स्थिरमना भवान् पश्यतु ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy