SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] ૮ તે પ્રમાણે-આત્માઓમાં પણ ઘટવધ થતી જ નથી. દરેક આત્મા-ભલે નવા નવા શરીર ધાર કરીને નવા નવા સ્વરૂપ ધારણ કરતા દેખાય, અને તેથી વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ આપણને પ્રત્ય પણું થાય. [ પ ] માનવો ૧ તેમાં પણ-માનવજાતિના પ્રાણ સૌથી કાંઈક જુદા જ તરી આવે છે, ને તે પણ બીજાઓને જેમ અનાદિકાળથી જ પિતાનું અસ્તિત્વ ધરાવતા આવે છે. બીજા કેટલાક વિદ્વાનોના આ બાબતમાં ભલેને ગમે તેટલા મતભેદ-વિચારભેદો હોય, છતાં અહીં જણાવેલી હકીકત તદ્દન નિશ્ચિત અને વસ્તુ સ્વરૂપે છે. અને સિદ્ધ હકીકત રૂપે છે. બીજા વિચારભેદે એક વિચારણારૂપે છે. નિર્ણયરૂપે નથી. ૨ સચેતન જણાતા શરીરમાંથી મુખ્ય સચેતન આત્મા ચાલ્યા જાય છે, ત્યારે અચેતન શરીર અચેતન સ્વરૂપમાં પડયું રહે છે. માટે શરીરમાં એક બીજો કોઈક સ્વતંત્ર પદાર્થ છે, કે જે સચેતન છે. ૩ તે જ સચેતન આત્મા: પિતાની કોઈ પણ શક્તિઓથી અચેતન પરમાણુઓ ખેંચીને તેનું પિતાનું શરીર બાંધે છે, ને જન્મ લે છે. ને તે જ શરીર છોડીને ચાલ્યા જાય છે, ત્યારે તે જ શરીર શબ રૂપે રહી જાય છે. ૪ પરમાણુઓ અને તેના જથા એટલા બધા સૂક્ષમ હોય છે, કે-આપણું ઈન્દ્રિયો તેનું પણ જ્ઞાન સીધી રીતે કરી શકતી નથી. ૫ પરંતુ જ્યારે–આત્મા-જીવ-તેને ખેંચીને પિતાના શરીરરૂપે બનાવે છે, ત્યારે તેને જુદા જુદા રંગઃ સ્વાદઃ ગંધ સ્પર્શ શબ્દઃ આકાર વગેરે રૂપે આપણી ઇન્દ્રિય ઠીક રીતે ઓળખી શકે તે રીતે પ્રગટપણામાં આવે છે. કેઈ પણ પદાર્થોને દષ્ટાંત તરીકે લઈને આ વાતને બરાબર સૂક્ષ્મતાથી વિચાર કરી જુઓ. ૬ આત્માએ શરીરરૂપે ગ્રહણ કર્યા પછી, આત્મા સહિત કે આત્મા રહિત તે પદાર્થોને કે તેના જસ્થાને જુદે જુદે ગમે તે કોણ કરે, તેને અનેક રૂપ ધારણ કરવો તે જુદી વાત છે. પરંતુ, તેનું અસ્તિત્વ ખાસ કરીને જે ભાગે આ પ્રમાણે જ આત્મા દ્વારા થયું હોય છે. આત્મા પરમાણુએને ગ્રહણ કરીને પિતાનું શું બનાવે છે અને એ રીતે બાહ્ય પદાર્થો જગતમાં દેખાય છે. - હાત૭ કપડું જે સુતરમાંથી અને સુતર જે રૂમાંથી બન્યું છે, તે કપાસના છોડરૂપ શરીરમાંના કઈ પણ આત્માએ તે ખેતરમાંથી રસકસરૂપે પરમાણુઓથી ખેંચીને છોડ અને છેવટે કપાસના છોડમાંથી સફેદ પરમાણુનું રૂ રૂપે પિતાનું શરીર બાંધ્યું હોય છે, સુતઃ અને તેમાંથી કપડું ભલે થયું હોય. ઘડીયાળને કાટે જે લેખંડમાંથી બને, તે લેખંડ પૃથ્વીકાયના કોઈ જીવે જમીનમાં પિતાનું શરીર લેઢા રૂપે બાંધ્યું, તેને જુદું પાડીને તેમાંથી ઉત્તરોત્તર આ કાટ બન્યું છે. હજી પણ તેમાંથી ભલે રૂપાંતર થયા કરે, પરંતુ લોખંડની મૂળ ઉત્પત્તિ જીવે બાંધેલા પરમાણુઓના જસ્થારૂપ શરીરમાંથી થાય છે. આ નકકી છે. છે જે આત્માઓએ રૂ કે લેઢા રૂપે પિતાનું શરીર બાંધ્યું હતું. છતાં, “તે છોડી દીધા પછી છેડેલા તે શરીરને તે કે બીજા આત્મા કદ્દી ધારણ કરતા જ નથી. કેમ કે-દરેક આત્મા પિતાનું નવું નવું જ શરીર બાંધે છે.” આ નક્કી છે. પાણીમાં પિરા જુદા રૂપે હોય છે. તે તેના સ્વતંત્ર શરીર હોય છે. પણ તે તેઓને રહેવાનું સ્થળમાત્ર હોય છે. મનુષ્યના શરીરમાં કરમીયા જુદા જ શરીરધારી જેવો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy