SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ ] આને બદલે શ્વેત પ્રજાએ પિતાની વિશ્વ સર્વોપરિતા સ્થાપિત કરવા માટે, વેત આન્તરરાષ્ટ્રીયતા નવી ઉત્પન્ન કરી છે, કે જે આજે આખા જગતમાં સર્વને એ રીતે પરિચિત થતી રહી છે. આજે ઉછરતી પ્રજાનો ઘણો ભાગ તેને જ ઓળખતા થતા જાય છે. આમ બે હરીફ આન્તરરાષ્ટ્રીયતાઓ હોવા છતાં કોઈપણ વિશેષણ ન આપતાં આજે માત્ર (સામાન્ય) આન્તરરાષ્ટ્રીય શબ્દને જ પ્રચાર કરવામાં આવેલ છે. તેમાં બે હેતુઓ છે – (૧) “ આન્તરરાષ્ટ્રીયતા એક જ છે.” તેથી ઉછરતી જનતાને બીજી કોઈ આન્તર રાષ્ટ્રીયતાની કલ્પના જ ન આવી શકે. એટલે કે ભારતીય આન્તરરાષ્ટ્રીયતાનો તે જનતાને ખ્યાલ જ ન આવે. એ આ એક જુઠાણું પ્રચાર પામે છે. (૨) “ એક જ આન્તરરાષ્ટ્રીયતા છે, અને તેના તરફ જ સર્વનું ધ્યાન કેન્દ્રિત કરવાથી, તેની પરિભાષાઓ અને તેના સંબંધો ત આન્તરરાષ્ટ્રીયતાના હિતો સાથે જોડી રાખેલા હોવાથી, પરિણામે તેના ફાયદા તે પ્રજાને જ મળી શકેઃ તેજ પ્રજા ઉઠાવી શકે.” આ વિશાળ પાયા ઉપરનો સ્વાર્થ સાધી આપે છે. ૧૪. આ વેત આતરરાષ્ટ્રીયતા ઉત્પન્ન કરવા માટેનું મહત્ત્વનું બીજ ઈ. સ. ૧૪૯ર થી રોપાયેલું છે. ત્યારથ યેલું છે. ત્યારથી બે આંતરરાષ્ટ્રીયતાઓ શરુ થઈ. અને તે નવી વેત આંતરરાષ્ટ્રીયતા જ શેષ રહેવા પ્રયાસો ચાલી રહ્યા છે. અને ત્યારથી જગતનો ઇતિહાસ શરૂ થઈ ચૂકી છે. ઇ. સ. ૧૪૯૨ વિષે ઋતત્વાર્થાધિગમ ભાગ ૨ જે. સારધિની પૃ૪ ૭૨૦-૭૨૧. પર જેવાથી માલૂમ પડશે. તથા આ પુસ્તકના પૃ ૧૬ ૦ ઉપર “ પાપની ઉદારતા” ના હેડીંગ નીચે વાંચવું. આ ઘટનાઓ બ્રીસ્તી ધર્મગુરુને હસ્તક બની છે. એ ઉપરથી એ પણ નક્કી થાય છે કે માનવજીવનના તમામ અંશમાં મુખ્ય નેતૃત્વ અને માર્ગદર્શકત્વ ધર્મગુરુઓનું જ ચાલ્યું આવે છે. કેમકે-આજના પ્રજાના પ્રગતિશીલ ગણાતા લેકે પણ તે અન્યાયી ઘટનાને વળગી રહ્યા છે. અને તેના લાભ ઉઠાવે છે. ઇ. સ. ૧૪૯૨ પછી કતપ્રજા આખી દુનિયામાં ફેલાતી જાય છે. અને તેની જુદી જુદી અદ્ભુત પરાક્રમી ઘટનાઓથી ભરેલું સાહિત્ય અંગ્રેજી ભાષામાં મોટા પ્રમાણમાં બહાર પડેલું છે. તે ઉપરથી તેનો વ્યવસ્થિત ઇતિહાસ જાણી શકાય તેમ છે. કયા કયા દેશમાં, પહાડોમાં, જંગલમાં, જંગલી પ્રજાઓની વચ્ચે પ્રવેશીને પણ, કઈ કઈ રીતે પિતાના અધિકારીઓ અને મહત્ત્વ શ્વેતપ્રજાએ સ્થાપિત કર્યા ? ત્ર વાચકોની સુલભતા માટે પૃ. ૭૨૦-૨૧ ના મુદ્દાઓના ટૂંકા નિદેશે નીચે પ્રમાણે છે – “ ઈ. સ. ૧૮૯૨ માં અમેરિકા શોધાયો. તેની નજીકના જ વર્ષમાં પિપ એલેકઝાન્ડર છાએ પિટુગાલ અને સ્પેન વચ્ચે સરખે ભાગે યુરોપની બહારના પ્રદેશ અને દરિયાઓની વહેંચણી કરતું એક બુલ બહાર પાડયું હતું. ” (અંગ્રેજી ઉપરથી). “એની પાછળ ત્યારના ખ્રીસ્તી સંપ્રદાયના ધર્મગુરુ પોપ એલેકઝાન્ડર છઠ્ઠાની દીર્ધદષ્ટિ હતી– આ પિપે ફતવો વ્હાર પાડી પોર્ટુગાલ અને સ્પેન વચ્ચે નવી દુનિયા વહેંચી આપી હતી– આમ પેનને ભાગે અમેરિકાના સંસ્થાને આવ્યા અને પોર્ટુગાલને આફ્રિકા અને હિન્દી મહાસાગર ધુમવાના રહ્યા. ” જન્મભૂમિ તા. ૧૫-૮-૫૭ આ સ્વાધીનતાની પૂર્તિ પૂર ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy