SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ૦ ૬૩ (૧૮૩] આ “નવયુગની સમસ્યાઓને હલ કરી શકે એવી સારાયે ભારતવર્ષનું પ્રતિનિધિત્વ ધરાવતી સંગઠિત સંસ્થાની જૈન સમાજને જરૂર હતી.” મા આમ છતાં વિદેશય આદર્શીની જ પ્રચારક સંસ્થા છતાં, તેને “શ્રી સંધના અમેધ બળ સમાન આ સંસ્થા સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિત્વને આવરી લે છે.” પ્રકાશકનું નિવેદન “કેન્ફરન્સ સારાયે ભારતવર્ષના જન–સમાજનું પ્રતિનિધિત્વ ધરાવનારી સંસ્થા છે.” પૃઢ ૧૫૯. આ કેટલા મેટામાં મોટા જુઠાણું છે? જૈન સમાજ જેવી કઈ વસ્તુ જ જ્યારે જગતમાં નથી, ત્યારે તેનું પ્રતિનિધિત્વ એ સંસ્થા શી રીતે ધરાવે છે? ધરાવી શકે છે? સામાજિક પ્રતિનિધિત્વ ધરાવે છે? કે ધાર્મિક પ્રતિનિધિત્વ ? તે પરંપરાગત ધાર્મિક સકળ ચતુવિધ સંધ કેઇનેયે પ્રતિનિધિ છે કે નથી ? તેનું શું સ્થાન છે? કે તે લુપ્ત જ છે? શું છઠ્ઠો આરે નજીક આવી ગયો છે? જે કે સામાજિક સંસ્થા છે તો “જૈન વેતામ્બર? એવું ધાર્મિક નામ શા માટે રાખવામાં આવેલું છે? “સારાયે ભારતવર્ષને જૈન-સમા જનું પ્રતિનિધિત્વ” એટલે તેમાં થાનકવાસી, તેરાપંથી. દિગંબરે, વગેરેને શું સમાવેશ થાય છે ? શ્વેતામ્બર સંઘમાંના જ લેકેનું સામાજિક (જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓનું) જ પ્રતિનિધિત્વ કરે છે ? (સારાયે સમાજનું) સામાજિક પ્રતિનિધિત્વ કરે છે? એટલે કે પરવાડ: ઓસવાળઃ દશાઃ વીશા શ્રીમાળી વગેરે સમાજેમાં કોઈ વૈષ્ણવ ધર્મ પાળતા હોય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયિ હોય છે, કોઈ સ્થાનકવાસિક તેરાપંથી ને કોઈ દિગબર સંપ્રદાયના અનુયાયિ હેય છે. તે સર્વનું સામાજિક પ્રતિનિધિત્વ કરતી હોય છે ને કેટલેક ભાગ પરંપરાગત મૂળ જૈન શાસન પરંપરાના અનુયાયિ છે. તો તેનું સામાજિક પ્રતિનિધિત્વ કરે છે? તે કઈ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ? જૈનવેતામ્બર મૂર્તિપૂજક શાસનના અનુયાયિઓ જે સામાજિક અને ધાર્મિક ઠરાવો કરશે, તે શું બીજા સંપ્રદાયના અનુયાયિઓ માન્ય કરી લેશે? પરંતુ વકિલ વર્ગ વિદેશીય આદર્શો ધ્યાનમાં રાખીને કેન્ફરન્સને પાછલે હાથેથી દોરવતું હોય છે, અને “ આ કોન્ફરન્સ આમ માને છે, ને આમ કરાવે છે.” એવા મથાળાથી માં-માથા વિનાના ઠરાવો કરાવી લેતા હોય છે. તેઓને ન તે ભારતના સાંસ્કૃતિક જીવનધારણના સિદ્ધાંતો અને આદર્શોનું જ્ઞાન હોય છે. ન તો વિદેશીઓની ચાલના ભાવિ માઠા પરિણામને. આવી બાબતને કોની પાસે ખુલાસો મેળવવો? કેણું ધણીધોરી? કેણ જવાબદાર ? સર્વ ધાંધલ માત્ર હોય છે. ઊંધું-ચતું ગમે તેમ હોય છતાં ગમે તેમ કરીને શાબ્દિક સાચા-ખોટા સમાધાન કરીને લોકોની આંખમાં ધૂળ નાંખવા શિવાય, ને મેટા-મોટા શબ્દ વાપરવા સિવાય કાંઈ તત્વ તેઓની પાસેથી મળી શકતું નથી. વિદેશીયોના શિષ્યો આ ભાઈઓ પ્રાગતિક આદર્શો પાછળ મરી-ફટતા હેય છે. અને તેમ કરી જેન–શાસનની ઉન્નતિ કરવા ઇચ્છતા હોય છે. રેતી પીલી તેલ કાઢવા જેવી આ વાત નથી શું? છે જ. પરિણામો તો દિવસે દિવસે ઉલટાં આવતા જાય ત્યારે ટોપલે નાંખે લકે ઉપર કે--- લેએ સંસ્થાને સાથ ન આપે.” મુશ્કેલી એ છે, કે-એક તરફથી વિદેશીય આદર્શોમાં જૈન-ધર્મ, જેન–શાસન જેન–સંધ, જેન– શા, અને જૈન સાતેય ક્ષેત્રો ફેરવી નાખવાનું સંસ્થા પેયનું છે. તેને આદર્શ પાર્લામેન્ટઃ યુનેઃ વગેરેના આદર્શો છે. સંસ્થાને ખરી રીતે તેઓને વફાદાર રહેવાનું છે. છતાં–બતાવવાનું છે, જૈન-ધર્મ જૈન-શાસન, જેન–સંધ, જેન–શાસ્ત્રો, અને સાત-ક્ષેત્રોને આત્મવાદના પ્રેરક તીર્થ કરને વફાદાર રહી, સર્વની ઉન્નતિ કરવાનું. જો કે-ઉન્નતિ પણ આધુનિક આદર્શો અનુસારના ફેરફારને જ તેઓ માનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy