SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૩] આજે જેને નવ જમાનઃ યુગ પરિવર્તન સમયાનુસાર પ્રગતિઃ વગેરે કહેવામાં આવે છે, અશાન્તિઃ ડુયુદ્ધઃ વગેરે જેને કહેવામાં આવે છે, તે સર્વનું મૂળ છે. સ. ૧૪૯૨ ને બનાવી છે. જેને આધારે યુરોપની ગોરી પ્રજા દુનિયા ઉપર ફરી વળી છે. ને આખી દુનિયાને પોતાની માલિકીની ચીજ માનીને તેના ઉપર પોતાનું સર્વસ્વ અધિકાર-માલિકી હક માનીને તેમાં સર્વને સહકાર લઈને આગળ વધે છે, તે પિતાને પ્રભાવ બતાવે છે. વિજ્ઞાનયુગ: બુદ્ધિયુગ: અને યંત્રયુગ: જેને કહેવામાં આવે છે; તેનું પણ મૂળ બીજ એ ઈ. સ. ૧૪૯૨ ની ઘટના જ છે. ભારતની પ્રજાને અને ધર્મોને પણ આ પ્રશ્ન સાથે ખાસ લાગે-વળગે છે, તેથી અમે આ વાત અહીં સંક્ષેપમાં મૂકી છે. જેથી શ્રી સંઘના ખાસ આગેવાન પૂજ્ય પુરુષની જાણમાં તે રહે, કે ધર્મો ઉપર પણ ધર્મનું સેવક ગણાતું રાજ્ય આજે સર્વોપરિ સત્તાધીશ બનીને કાયદા શી રીતે કરી શકે છે? “ તેનું કારણ ૧૪૯૨ છે.” તે બરાબર સમજાય. શ્રી આદીશ્વર પ્રભુની ન્યાયી વ્યવસ્થાને શ્રી પિપે તે ભંગ કર્યો છે.” એમ અમે તે ચક્કસ રીતે કહીએ છીએ. શ્રી નહેરુજીએ પિપની ઉદારતા શબ્દ કવિતાના વ્યંગ્ય અર્થમાં કે ટીકાના અર્થમાં વાપર્યો હશે? કે ખાસ અભિધાવૃત્તિના અર્થમાં વાપર્યો હશે? તે તે તેઓ ખુલાસો કરે તો જ સમજાય. આ સભામાં ખાસ મુત્સદ્દીઓની હાજરી અને સભાના આયોજન ઉપરથી શ્રી નહેરુજીનું પોર્ટુગલ અને ચીન વિષેનું વલણ જાણવા અને તેમના મુખેથી ભળતું જ બેલાવી દેવા યોજી હેવાનું માની શકાય છે. શ્રી નહેરુજી ચાલાક છે. ગફલત ખાય તેવા નથી, પરંતુ ૪૫૦ વર્ષોથી પ્રપંચ ખેલતી આવતી મધસાકર-અમૃતથી યે મીઠા બેલી વેતપ્રજાના મુસદ્દો આગળ ભલભલાનું શું ગજું? એક ધારણી પાર પાડવા તેઓએ સેંકડે બાજુએથી તખ્ત ગોઠવ્યો હોય છે. સ્પેન અને પિોર્ટુગલને બાજુએ રાખીને વેતપ્રજાની નાની મોટી સતાઓએ તેમ્ની એજન્સી તરીકે આજ સુધી કામ કર્યું છે, પ્રથમ તાબાના રાજ્ય બનાવ્યા પછી હવે થતપ્રજાનું સાર્વભૌમત્વ સફળ કરનારી સ્વરાજ્ય નામની સ્કીમો આપ્યા બાદ, સૌને યુ. એન. એ. ના સભ્ય બનાવાય છે. અને યુને મારત શ્વેતપ્રજાનું સંપૂર્ણ સાર્વભૌમત્વ સિદ્ધ કરવાનું આ છેલ્લે તબક્કો શરૂ કરાય છે. યુનેનું સાર્વભૌમત્વ કબુલ થયા પછી સ્પેન–પોર્ટુગલની વહેંચણીના મુદ્દાની આવશ્યકતા રહે તેમ નથી. કેમકેએ કબુલાતમાં જ તે વહેચણીના હેતુઓની સફળતા સમાવેશ પામી જાય છે. તથા “ગેવાને પ્રશ્ન સંસ્થાનનીતિથી જુદો છે” એમ સ્પષ્ટ થઈ રહ્યું છે. ને એટલા જ માટે~ ૧ યુ. એન. એ. ને વધારે મજબુત અને લોકપ્રિય બનાવવા ઘણું લાંબા દિવસ સુધી તેની મહાસમિતિની બેઠક લંબાવી છે. ને સૌને તેમાં સાંકળી લેવાની તરકીબ આગળ વધી રહી છે. તેની ભૂલે અને ખોડખાંપણે એટલા માટે જોરશોરથી કાઢવામાં આવે છે, કે-જેથી તે સંસ્થાને વધારે મજબૂત અને વ્યાપક કામ કરતી થવામાં દરેકને સાથ મેળે, અને તે વધારે મજબૂત થાય. ૩ નિઃશસ્ત્રીકરણને પ્રશ્ન એટલા માટે ચર્ચવામાં આવે છે, કે-યુનેને વધારે શસ્ત્રસજ્જ થવા દઈ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના બહાને તેના લશ્કરી રક્ષણ નીચે દુનીયાને મુકી દેવાની ભાવિ ગોઠવણુ છે. પછી યુરોપના બીજા રાષ્ટ્રોને શસ્ત્રોની એટલી આવશ્યકતા ન રહે. પછી યુ મારફત જ થતપ્રજાની સત્તા આજના કરતાં વધારે વ્યાપકરૂપે અને વધારે અસરકારક રીતે ફેલાવવામાં સૌ સહાય કરવાના છે તેને મજબૂત બનાવવા માટે જ ઈંગ્લાંડ, અમેરિકા, રશિયાના આગેવાન રાજ્યધારી પુરુષએ--આઈક-મેકમલન અને શેવ એ ત્રણેયે સાક્ષાત્ રીતસર હાજરી આપી હતી. આર્થિક સહાય પણ એટલા જ માટે દુનિયાભરમાં ફેલાવાઈ રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy