SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ભરવો અને પછી આગળના દ્વીપ અને સમુદ્ર એક એક સરસ. નાખશે અને ખાલી થાય ત્યારે એક સરસવ શલાકામાં નાખવો. આ પ્રમાણે જ્યારે અનવસ્થિત પાલ ખાલી થતા જાય ત્યારે એક એક સરસવ શલાકા પ્યાલામાં મુકતા જઈએ અને જે જે દ્વીપ કે સમુદ્રો ખાલી થાય તે તે દ્વીપ કે સમુદ્ર જેવડો નવો-નવો અનવસ્થિત ક૫તા જવું. આ પ્રમાણે કરતાં જ્યારે શલાકા પલ્ય પૂર્ણ ભરાઇ જાય ત્યારે જે દ્વીપ કે સમુદ્ર અનવસ્થિત ખાલી થતા હોય તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત પ્યાલો કલ્પવી અને સરસથી ભરવો. તેને પાર કરી સાક્ષીભૂત સરસવ શલાકામાં સમાય એમ ન હોવાથી એમને એમ ભરેલો રાખવો; અને ત્યાંથી શલાકા પ્યાલો ઉપાડીને. એક એક દીપ-સમુદ્ર એક એક સરસવ નાંખતા જવું. આ પ્રમાણે શલાકા પ્યાલો ખાલી થાય ત્યારે એક સરસવ પ્રતિશલાકામાં નાખવો. આ વખતે અનવસ્થિત ભરેલ હોય. શલાકા ખાલી હોય અને પ્રતિDલાકામાં એક સરસવ હોય છે. ફરી અનવસ્થિત પલ્યને લઈને આગળના દ્વિપ-સમુદ્ર એક એક સરસવ નાંખતા જવું અને ખાલી થાય ત્યારે એક સરસવ શલાકા પ્યાલામાં નાખવો અને તે દ્વીપ કે સમુદ્ર જેવડો નવો અનવસ્થિત પ્યાલો કલ્પવો તેને સરસવે કરીને ભરવો અને પાછો એક-એક સરસવ એક-એક દીપ અને સમુદ્રમાં નાંખતા જવું. એ રીતે ફરી બીજીવાર શલાકા પ્યાલાને પૂર્ણ ભરવો અને જે દ્વીપસમુદ્ર અનવસ્થિત ખાલી થયો હોય તે દીપ–સમુદ્ર જેવડો ઉત્તરાનવરિશ્વત કલ્પ અને એને સરસ કરીને ભરવો. હવે અનવસ્થિત ભરેલ છે. શલાક પણ પૂર્ણ છે અને પ્રતિશલાકામાં એક સરસવ છે. પછી શલાકા પ્યાલાને ઉપાડીને ત્યાંથી આગળના દ્વીપસમુદ્ર એક–એક સરસવ નાખી ખાલી કરવો અને ખાલી થયે છતે એક સરસવ પ્રતિશલાકામાં નાંખવા. હવે પ્રતિશલાકામાં બે સરસવ છે. શલાકા ખાલી છે અને અનવસ્થિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy