SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ ભરેલો પડયો છે. તેને ઉપાડીને ત્યાંથી આગળના દ્વીપ-સમુદ્ર એક એક સરસવ નાખવો. ખાલી થાય ત્યારે શલાકામાં એક સાક્ષી સરસવ નાખવો અને એ રીતે શલાકા પૂર્ણ ભરવો. ત્યારે અનવસ્થિત પણ ભરેલો હોય. પછી શલાકાને ઉપાડીને આગળના દીપ–સમુદ્ર ખાલી કરવો. અને ખાલી થાય ત્યારે એક સરસવ પ્રતિશલાકામાં નાખવો. આ રીતે અનવસ્થિત વડે શલાકા અને શલાકાવડે પ્રતિશલાકા પૂર્ણ ભરવો, પ્રતિશલાકા પૂર્ણ થાય ત્યારે અનવસ્થિત, શલાકા અને પ્રતિશલાકા ત્રણે પ્યાલા પૂર્ણ ભરેલા હોય છે. પછી પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વિપસમુદ્ર ખાલી કરવા અને ખાલી થાય ત્યારે મહાશલાકામાં એક સાક્ષી સરસવ નાખો. ત્યારે મહાશલાકામાં એક સરસવ પ્રતિશલાકા ખાલી અને શલાકા તથા અનવસ્થિત ભરેલા હોય છે. પછી શલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્ર ખાલી કરવો, અને ખાલી થાય ત્યારે એક સરસવ પ્રતિશલાકામાં નાખવો. ત્યારે મહાશલાકા તથા પ્રતિશલાકામાં એક એક સરસવ અને શલાકા ખાલી તથા અનવસ્થિત ભરેલ હોય છે, પછી અનવસ્થિતને ઉપાડીને આગળના દીપ–સમુદ્ર ખાલી કરવો અને તેના વડે શલાકા ભરવો. શલાકા ભરાય ત્યારે અનવસ્થિતને ભરેલો રાખવો અને શલાકાને ખાલી કરી એક સરસવ પ્રતિશલાકામાં નાખો. આવી રીતે અનવસ્થિત વડે શલાકા અને શલાકાવડે પ્રતિશલાકાને પૂર્ણ ભરવો. પ્રતિશલાકા પૂર્ણ થાય ત્યારે મહાશલાકામાં એક સરસવ અને બાકીના ત્રણ ભરેલ હોય છે. પછી પ્રતિશલાકા ખાલી કરી મહાશલાકામાં એક સરસવ નાખવો. અને શલાકા ખાલી કરી પ્રતિશલાકામાં એક સરસવ નાખવો. તથા અનવસ્થિત ખાલી કરી એક સરસવ શલાકામાં નાખવે. આ રીતે જ્યારે મહાશલાકામાં એક સરસવ વધે ત્યારે પ્રતિશલાકા ખાલી હોય અને શલાકા તથા અનવસ્થિત ભરેલ હોય છે. આ પ્રમાણે પૂર્વ-પૂર્વ પલ્ય ખાલી થાય ત્યારે એક–એક સાક્ષી સરસવ આગળના પ્યાલામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy