SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ગાથા, ૭૩, અનવસ્થિતઃ–આગળ આગળ વધતો જતો હોવાથી નિયત પરિમાણના અભાવવાળો પ્યાલો તે અનવસ્થિત પ્યાલો. શલાકા:–એક એક સાક્ષિભૂત સરસવથી ભરાતા હોવાથી શલાકા. પ્રતિશલાકા –પ્રતિસાક્ષિભૂત સરસ વડે ભરાતો હોવાથી પ્રતિશલાકા. મહાશલાકા:–મહાસાક્ષિભૂત સરસ વડે ભરાતો હોવાથી મહાશલાકા. ગાથા ૭૪, અનવસ્થિત પ્યાલો પહેલો ખાલી કરીએ તે વખતે તે નિયત માપવાળો હોવાથી તે અનવસ્થિત કહેવાય નહીં. પણ ત્યારપછી આગળ જતાં કમેકમે વધતો જશે માટે તેનું પરિમાણ અનિયમિત હોવાથી તે અનવસ્થિત ગણાય. અને અનવસ્થિત થયા પછી જ સાલ - સરસવ શલાકામાં નંખાય તે પહેલાં નહી. ગાથા ૭૭. પ્રથમ લક્ષજન પ્રમાણ મૂવ અનવસ્થિત પલ્યને સરસવો વડે ભરવો. પછી તે ભરેલા પ્યાલાને ઉપાડીને એક એક સરસવ જ બૂદીપ આદિ પ્રત્યેક દ્વીપ અને સમુદ્રને વિષે મુકવા. આ પ્રમાણે એક એક સરસવ નાખતાં જે દ્રીપ કે સમુદ્રમાં મૂલ અનવસ્થિત પલ્ય ખાલી થાય તે દીપ કે સમુદ્ર જેવડો લાંબો-પહોળો તથા ઉંચાઈમાં પહેલા પલ્ય જેવડો બીજો અનવસ્થિત પત્ય કલ્પ. -અને એને શિખાસહિત સરસથી ભરો અને એક એક સરસવ -આગળના દ્વીપ અને સમુદ્રમાં નાંખતા જવું. આ પ્રમાણે એક એક -સરસવ નાંખતા જ્યારે અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે એક સરસવ શલાકા પથમાં નાખવો. વળી તે દ્વિપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત પલ્ય બનાવવા અને તેને સરસ કરીને શિખાસહિત “તું. ક. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy