SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે અધ્યાય ૬૧૯ દયાન છે. આ ધ્યાન અવિરત અને દેશવિરત. છાને હોય છે. હિંસા આદિ ચારના એકાગ્રચિત્તે વિચારે એ અનુક્રમે હિંસાનુબંધી, અસત્યાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. હિંસા કેવી રીતે કરવી, ક્યારે કરવી, તેનાં સાધને કયાં કયાં છે, સાધનાને ઉપયોગ કેવી રીતે કરે ઈત્યાદિ હિંસાના એકાગ્ર ચિત્ત થતા વિચારે. હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. અસત્ય કેવી રીતે બેલવું, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી છૂટી જવાશે, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી અન્યને છેતરી શકાશે વગેરે અસત્યના એકાગ્રચિત્તે થતા વિચારો અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. ચેરી કેવી રીતે કરવી, કેવી રીતે ચોરી કરવાથી પકડાઈ ન જવાય, ચેરીનાં સાધને ક્યાં ક્યાં છે, ચેરીનાં સાધન ક્યાં મળે છે? કેવી રીતે મેળવવાં, ક્યાં કેવી રી કરવી, વગેરે ચોરીના એકાગ્રચિત્તે થતા વિચારો તેયાનુબંધી. રૌદ્રધ્યાન છે. રૂપ આદિ ઈષ્ટ વિયેનું કે વિષયનાં સાધનાનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારે વિષયસંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે.' ૧. વિષયને અને વિષયનાં સાધનાને મેળવવાના વિચાર આર્તધ્યાન છે અને સાચવી રાખવાના વિચાર રૌદ્રધ્યાન છે. વિષ ની પ્રાપ્તિમાં અને સેવનમાં આનંદ આર્તધ્યાન છે. આ અને રૌદ્ર સ્થાનના આ સ્વરૂપને જાણનાર વિચારકને લગભગ સઘળા ચદ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ કરતા હોય છે એમ જણાયા વિના નહિ રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy