SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે અધ્યાય ૫૬૭ દુઃખ કે આપત્તિથી બચાવવા સમર્થ બનતા નથી, બલકે કેટલીક વખત અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. આ અવસરે દેવ-ગુરુ અને ધર્મ એ જ રક્ષણ કરે છે–સાંત્વન આપે છે. આથી સંસારમાં દેવ, ગુરુ અને ધર્મ સિવાય કંઈ પણ ભૌતિક વસ્તુ કે સ્વજન વગેરે આપણા માટે શરણ રૂપ બનતા નથી. ફળ-સંસારમાં હું અશરણ છું એમ વિચારતાં સંસારનો ભય ઉત્પનન થવાથી સંસાર ઉપર અને સંસારનાં સુખ ઉપર પ્રેમ થતું નથી. તથા જિનશાસન જ શરણભૂત છે એ ખ્યાલ આવવાથી તેની આરાધના માટે પ્રવૃત્તિ થાય છે–ઉલાસ પ્રગટે છે. (૩) સંસાર-સંસાર ભાવના એટલે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. જીવ નરક, તિયચ, મનુષ્ય અને દેવગતિ એ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત દુખે સહન કરે છે. સંસારના કેઈ ખૂણુમાં, સંસારની કઈ વસ્તુમાં આંશિક પણ સુખ નથી, કેવળ દુઃખ જ છે. સંસાર વિવિધ દુખને મહા જંગલ છે. કમના સંગથી જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કર્મને સંગ રાગ દ્વેષના કારણે છે. આથી દુઃખનું મૂળ રાગÀવ છે. એટલે સંસારનાં દુખેથી બચવું હોય તે રાગદ્વેષ આદિ દોનો વિનાશ કર જોઈએ. અથવા નીચે પ્રમાણે પણ વિચારી શકાય. નરક આદિ ચાર ગતિએામાં ચક્રની જેમ પરિભ્રમણ કરતા આ જીવ માટે સઘળા ય છે સ્વજન છે, અથવા સઘળા ય જી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy