SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર પણ ક્રોધને રોકી શકાય છે. ક્ષમાના સેવનથી કંઈ પ્રકારને શ્રમ પડતું નથી. ક્ષમાં ધારણ કરવાથી અનેક પ્રકારના કલેશથી બચી જવાય છે. ક્ષમાના યોગે આત્માની પરિણતિ શુભ બને છે. એથી નવાં અશુભ કર્મો બંધાતાં નથી, પૂર્વબદ્ધ અશુભ કર્મોની નિર્જરા થાય, અશુભ કર્મો શુભ. બની જાય, અન્યની પ્રીતિનું સંપાદન થાય વગેરે અનેક લાભ થાય છે. ક્ષમા સર્વ ગુણેને આધાર છે. ક્ષમા વિના અન્ય ગુણે આવતા નથી અને આવેલા ટકતા નથી. અન્ય ગુણો. ગમે તેટલા હેય પણ ક્ષમાં ગુણ ન હોય તે એ ગુણેની કોઈ કિંમત નથી. પાણી વિનાની નદીની જેમ ક્ષાન્તિ વિનાના ગુણે શેભા પામતા નથી. આમ ક્ષતિના ગુણે વિચારવાથી કેધને રોકી શકાય છે. ગશાસ્ત્રમાં ચોથા પ્રકાશમાં કેધના વર્ણન પ્રસંગે ટીકામાં કેધને દૂર કરવાના બહુ સુંદર ઉપાયે બતાવ્યા છે. તેમાંના કેટલાક ઉપાયે ઉપર આવી ગયા છે. બાકીના ઉપાયનો સાર આ પ્રમાણે છે. અપકારી જન ઉપર કેધને કેવી રીતે કરે એ પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું છે કે આત્મસત્વથી કેધ રેકી શકાય છે. અથવા નીચે પ્રમાણે વિચારણા કરવાથી ક્રોધ રોકી શકાય છે. (૧) અન્ય ઉપર કેધ આવે ત્યારે વિચારવું જોઈએ કે હું શા માટે કેધ કરું છું ? જે એણે ગુને કર્યો છે १.क्षान्तिरेव हि सर्वेषां (दानादिगुणानां) तेषामाधारभूता। २. क्षान्तिहीना गुणाः सर्वे न शोभन्ते निराश्रयाः ॥ (ઉપ૦ ભવ૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy