SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમે અધ્યાય તથા રાગ-દ્વેષ મેહ સ્વરૂપ છે. એટલે મેહને સામાન્ય અર્થ રાગ-દ્વેષ અથવા ક્રોધાદિ કષાયે છે. મેહને અજ્ઞાનતા અર્થ પણ કરવામાં આવે છે. અહીં અજ્ઞાનતા એટલે જ્ઞાનને અભાવ અર્થ નથી, કિન્તુ વિરુદ્ધ જ્ઞાન અથવા અયથાર્થ જ્ઞાન છે. વિરુદ્ધજ્ઞાન અને અયથાર્થ જ્ઞાન મેહનીય કર્મથી થાય છે. એટલે મેહને અર્થ અજ્ઞાનતા પણ બરાબર છે. કષાચના અનંતાનુબંધી આદિ ભેદની વ્યાખ્યા– (૧) અનંતાનુબંધી–જે કષાયેના ઉદયથી મિથ્યાત્વ મોહનીય કર્મને ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયે અનંત સંસારને અનુબંધ=પરંપરા કરાવતા હોવાથી અનંતાબંધી કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય- ઉપાદેયને વિવેક હેતે નથી. (૨) અપ્રત્યાખ્યાન -જે કષાય (દેશ) વિરતિને રેકે, કઈ પણ જાતના પાપથી વિરતિ ન કરવા દે તે અપ્રત્યાખ્યાનજેના ઉદયથી પ્રત્યાખ્યાનને અભાવ થાય તે અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનું મહત્વ સમજતા હોવા છતાં તથા પ્રત્યાખ્યાન કરવાની ઈચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ કઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રત્યાખ્યાન કરી શકતું નથી. (૩) પ્રત્યાખ્યાનાવરણ જે કષાયે સર્વવિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ =પડદે કરે, સર્વવિરતિની પ્રાપ્તિ થવા ન દે, તે પ્રત્યાખ્યાનાવરણ. ચારિત્ર વિના આત્મકલ્યાણ થવાનું જ નથી એમ સમજતા હોવાથી ચારિત્રને સ્વીકારવાની ઈચ્છા હેવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy