SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ પણ ક્ષણિક અને પરિણામે દુઃખ આપનારું છે. આથી સંસારમાં સાચું સુખ નથી.' સાચું સુખ મેક્ષમાં જ છે. (૩) મોક્ષ મેળવવા જિનતા પાંચ મહાવ્રતને સ્વીકાર કરીને ત્યાગમય જીવન જીવવું જોઈએ. જિનેશ્વર ભગવાને મુખ્યતયા આ ત્રણ બાબતે કહી છે, બીજુ જે કંઈ કહ્યું છે તે આ ત્રણ બાબતેને અનુસરીને જ કહ્યું છે. મોટા ભાગના જીવે આ ત્રણ બાબતો માનતા નથી. કેટલાક જીવે પરલેક છે, જી પિતાપિતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ-દુઃખ અનુભવે છે, એ બાબતને માને છે, પણ બીજી બે બાબતેને સવીકાર કરતા નથી. કેટલાક જીવે પહેલી બાબત ઉપરાંત સંસાર દુઃખરૂપ છે.....મેક્ષમાં જ સાચું સુખ છે એ બીજી બાબતને પણ માને છે. પણ ત્રીજી બાબતને માનતા નથી. આ ત્રણેય બાબતેને જે માને તે જ “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવું માનનારો છે. પ્રશ્ન-જિનેશ્વરદેવે કહેલી દર્શન-પૂજન આદિ ધર્મ ક્રિયા કરનાર “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે”એમ માનનારા હોય ને? ઉત્તર-એકાંતે તેમ ન કહેવાય. જિનેશ્વરદેવે કહેલી ધર્મક્રિયા કરનારા બધા જ તેવું માનના ૧. આની વિશેષ સમજણ માટે આ ગ્રંથમાં પહેલા અધ્યાયના પહેલા સૂત્રનું વિવેચન જુઓ. - ૨. પાંચ મહાવ્રતની માહિતી માટે આ પ્રથમ સાત અધ્યાયના પહેલા વગેરે સૂત્રનું વિવેચન જુઓ * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy