SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ પ્રથમ અધ્યાય અનેકાંતવાદ અને નયવાદ એ બંને એકબીજાના પૂરક છે. આથી અનેકાંતવાદને સમજવા નયવાદના બેધની પણ જરૂર છે. ઉપર આપણે જોઈ ગયા કે–નય એટલે અપેક્ષા. આપણે સઘળે વ્યવહાર અપેક્ષાથી-નયથી ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. એક જ વ્યક્તિમાં વિદ્યાર્થીપણું, કુશળતા, સૌમ્યતા, બહાદુરી વગેરે અનેક ગુણધર્મો હોવા છતાં જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તેને આગળ કરીએ છીએ. એ વ્યક્તિ જ્યારે નિશાળ આદિ સ્થળે હોય ત્યારે તેના વિદ્યાર્થી પણાને આગળ કરીને તેને વિદ્યાર્થી કહીએ છીએ. જ્યારે તે કોઈ કાર્યમાં નીડરતા બતાવીને વિજય મેળવે છે ત્યારે તેની બહાદુરીને અગાળ કરીને તેને બહાદુર કહીએ છીએ. જ્યારે તેના સુંદર અભ્યાસ તરફ નજર જાય છે ત્યારે તેને કુશળ કહીએ છીએ. જ્યારે તેની મુખાકૃતિ તરફ નજર જાય છે ત્યારે તેના મુખ ઉપર તરવરતા સૌમ્યતા ધર્મને આગળ કરીને તેને સૌમ્ય કહીએ છીએ. આમ એક જ વસ્તુમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં આપણે દરેક વખતે સઘળા ગુણે તરફ દષ્ટિ નથી કરતા, થઈ શકે પણ નહિ, કિન્તુ પ્રસંગનુસાર તે તે ગુણને–ધમને આગળ કરીએ છીએ. વ્યવહારમાં તે તે અપેક્ષાથી તે તે ગુણનેધર્મને આગળ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy