SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ' પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ તે નજીકમાં જ થઈ ગયા ગણાય ને ! તે છતાં તેઓશ્રીન ગ્રંથ પણ પૂરા-પૂણ મળતા નથી. એક પણ ગ્રંથ નવો મળે તો કેવો રે માંચપૂર્ણ આનંદ થઈ જાય. ' હાં, તો આવી સ્થિતિમાં કેઈએ પણ ન ગ્રંથ પ્રકાશિત કરવો હોય તે શું કરવું જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં કાંઈક આવું વિચારી શકાય. સામાન્ય રીતે તમે કઈ મુદ્રિત ગ્રંથ વાંચે છે. કોઈ પંક્તિએ તમે અટક્યા. અર્થ સંગતિ થતી નથી. તમને એમ લાગે છે કે આ પાઠથી અહીં અર્થ બોધ સમ્યગૂ નથી થતો. અંહીં મૂળ પ્રકરણને બંધ બેસે તે પાઠ હવે જોઈએ એવી શ્રદ્ધાથી ત્યાં મૂળ હ. લિ. પ્રતની ખોજ કરવામાં આવે તે અવશ્ય સુસંગત પાઠ મળે છે અને એ મળતા આજુ બાજુનું બધું બરાબર બંધ બેસતું થઈ જાય. કારણે કે ઉપર જોયું તેમ લડીયા વગેરે દ્વારા અને અગાઉના સંપાદકની અને અનવધાનતાથી લિપીદોષના કારણે થયેલી ક્ષતિના કારણે અશુદ્ધ પાઇ પ્રચલિત થેઈ ગયો હોય છે, તે દોષને દૂર કરવા જે કરવું પડે છે તેનું નામ સંશોધન. આ આવશ્યક એવું સંશોધન કેવી રીતે કરવું જોઈએ એ ઘણે અગત્યને મુદ્દો છે. . શાસ્ત્ર શુદ્ધ કરીએ છીએ તેવા ખ્યાલમાં–તે કાર્યમાં અપેક્ષિત ક્ષમતાના અભાવે-શાસ્ત્રના અભાવે શાસ્ત્રના પાઠને શુદ્ધ કરવાની વાત તો દૂર રહી, પ્રત્યુત જે શુદ્ધપાઠ હોય તે અશુદ્ધ થઈ જવાનાં ઉદાહરણ એ છઈ નથી, તેય શાસ્ત્રસંશોધકની સજજતા, ક્ષમતા અને અધિકાર એ ઘણું મટી જવાબદારી છે. જે તે માણસ એ કામ ન કરી શકે. જેને તેને આ કામ ન સંપાય. અને જેણે તેણે આ કામ કરવું ન જોઈએ. “અમે સંશોધન કરીએ છીએ એવી વાત કરી ગૌરવ લેવું તે કામ સહેલું છે, ૫૫ વાસ્તવમાં તે કામ કરવા ની ક્ષમતા સંપાદન કરવી તે ઘણું કપરૂં છે. - આવા કામ માટે બહોળો શાસ્ત્રથાસંગ. જે વિષયને ગ્રંથ હેય તે વિષયને અવિકલ બેધ. વ્યાકરણ છંદ, કાવ્ય, અલંકાર ગ્રંથોનું અવગાહન, જે વિષયને ગ્રંથ હાથ પર હોય તે વિષયના પૂર્વાપર પ્રાચીન અર્વાચીન પ્રવાહનો સમ્યફ પરિચય, અને ખાસ કરીને પ્રતમાં જે અક્ષર લખ્યો હેય તેની પૂર્ણ પ્રામાણિક વફાદારી, ભવમીરુતા, શાસ્ત્રકાર મહર્ષિ પ્રત્યે અપાર બહુમાન વગેરે નિતાન્ત આવશ્યક ગણાય છે. પછી આવે સંપાદનપદ્ધતિની વાત. . જે ગ્રંથનું સંશોધન-સંપાદન કરવું હોય તે ગ્રંથની બને તેટલી પ્રાચીન-પ્રાચીનતર પોથીતાડપત્રની મળતી હોય તો તેને પ્રથમ પસંદગી, તે ઉપરાંત પછીના કાળની પણ એક બે પ્રત મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમદર્શ મળે તે વધુ સારું. દા. ત. ગ્રંથની રચના બારમા સૈકામાં થઈ હોય તે કર્તાના કાળની નજીકમાં નજીકની પ્રત મેળવવી અને પછી બીજી પ્રત પણ અલગ સેકામાં લખાયેલી પ્રાચીન પ્રતિથી ભિનન કુળની હોય તે તે પણ રાખવી જોઈએ. પોતે જ પ્રતને પસંદ કરી મૂળ પ્રત તરીકે સ્વીકારી તેના પાઠ કરતાં જુદા પાઠ (અર્થમાં કયાં ફુટતા-વિશદતા હોય તેવા પાઠ) જે એ પિથી આપે તો તે અન્ય કુળની કહેવાય. ગ્રંથ પર ટીકા હાય-ચૂર્ણિ હોય તે તેની પણ પોથી ભેગી કરવી, તેનાથી ટીકાકાર સંમત ચૂર્ણિકાર-સંમત પાઠ અને તેનાથી ભિન્ન પાઠવાળી પરથી સાથે રાખવી જોઈએ, આ બધામાં જે શુદ્ધ-એકદમ શુદ્ધ હેય તે પિથીની કોપી કરવી જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001111
Book TitlePanch sutrakam with Tika
Original Sutra AuthorChirantanacharya, Haribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, V M Kulkarni
PublisherB L Institute of Indology
Publication Year1986
Total Pages179
LanguagePrakrit, Sanskrit, English, Gujarati
ClassificationBook_Devnagari, Karma, Principle, B000, B015, G000, & G015
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy