________________
૨૭
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર મહર્ષિઓનાં ગુણોત્કીર્તન પડ્યો.
ચોપાઇ. જય જય જગદોત્તમ મહાવીર, ગૌતમ ગણધર વડા વજીર; ધીર વીર ગંભીર ગુણવંત, પ્રણમું પદકજ ધરી બહુ ખંત. શાસન ધુર વહે અણગાર, શ્રી સુધર્મ પંચમ ગણધાર; તાસ પરંપર ગુરૂ ગુણ ભર્યા, સૂરિ પુરંદર બહુ વિસ્તર્યા, એકસઠમી પાટે સૂરિરાયા, વિજયસિંહ થયા ગુરૂરાય; સત્ય કપુર તાસ ક્ષમા નિવાસ, જેહની ધારે સુરગણ આશ.
સવૈયા છંદ (ઈંગ્રેજી ચાલમાં) શ્રી જિન ઉત્તમ વદન મલયથી, વચન સરસ ચંદન સુખદાય; આત્મ પ્રદેશે સ્પર્શ થયાથી, અપૂર્વ પરમાનંદ પમાય. ગુરૂપદ પદ્મની સેવા વિધીથી, પ્રગટ શુદ્ધ નિજ આત્મ સ્વરૂપ; પ્રત્યક્ષ થાતાં અવિચળ કીર્તિ, જગ જયકારી વધે અનૂપ. શુદ્ધ ભાવની આત્મ પરિણતિ, કસ્તુરીની સહજ સુગંધ; તપસી શ્રી કસ્તુરવિજયજી, ભરી પાપના તોડે બંધ. શ્રદ્ધા સમ્યગુ મહા વ્રતધારી, ગિરૂઆ ગુણ મણિ આગર જેહ; ક્ષમા સહિત નીચે તપ કરતા, મણિવિજયજી દાદા તેહ.
કવાલી-ગઝલ મણિ સાચું સ્વગુણ રૂપી, પ્રકાશે દિવ્ય શક્તિથી; સ્વપરને શાન્તિકારક તે, મણિ દાદા ગુરૂ વંદું. ક્ષમા તપ એક રૂપે રહી, સરલ શિવમાર્ગમાં વિચર્યા; અલૌકિક આત્મભાવે તે, મણિ દાદા ગુરૂ વંદું. જિનાગમને અનુસારે, જગતમાં શ્રેષ્ઠ ઉપકારી; દયા રસથી ભરેલા તે, મણિ દાદા ગુરૂ વંદું.
શાર્દૂલવિક્રિડિત. જે ચારિત્રિચૂડામણિ પુરૂષની, પંક્તિ વિષે રાજતા, જેની શાંતિ ક્ષમા અને સરળતા સર્વ સ્થળે ગાજતા; જે ત્યાગી તપસી સદા સુગુરૂના શિષ્યો બહુ વિચરે, તે દાદા મણિવિજયજી મુનિ તણી કીર્તિ લતા વિસ્તરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org