________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર શો ઉપાય ? ગૌતમ સ્વામી જેવાને પણ છેવટે ગુરૂ દર્શનનો વિરહ રહ્યો તો બીજાને માટે શું કહેવું. છેવટે મુનિવર્યશ્રી રત્નસાગરજી વિગેરેએ તેમને સમજાવી શાંત કર્યા. સંઘ સમક્ષ દેવવંદનની ક્રિયા કરવામાં આવી અને તેમણે ઉપવાસનું પચ્ચખ્ખાણ કર્યું ત્યારથી માંડી અદ્યાપિ પર્યત આશો સુદ ૮ ને દિવસે તેઓશ્રી દરવર્ષે ઉપવાસ કરે છે ! ધન્ય છે! એ ગુરૂભક્ત શિષ્યોને !
આ પ્રમાણે પરમપુજ્ય તપસ્વી દાદાશ્રી મણિવિજયજી મહારાજ ૧૮૫૨ માં જન્મ્યા, ૧૮૭૭ માં દીક્ષા ગ્રહણ કરી, ૧૯૨૨ નાં જેઠ સુદ ૧૩ ના દિવસે પંન્યાસ પદ મળ્યું અને ૧૯૩૫ ના આશો શુદ ૮ ને દિવસે સ્વર્ગવાસી થયા. સર્વ મળી લાગભગ ૫૯ વર્ષ ચારિત્ર પાલન કર્યું. રાજનગર જૈન વિદ્યાશાળા.
વીર સં. ૨૪૫૦ વિક્રમ સં. ૧૯૮૦૭ ભાદ્રપદ કૃબગ દશમી. મેઘવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org