SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧)રસ નામકર્મઃ જે કર્મના ઉદયથી શરીરમાં માંસાદિ પદાર્થોનો રસ-સ્વાદ પ્રાપ્ત થાય તે રસ નામકર્મ. તેના પણ પાંચ ભેદો છે. (૧) તિક્ત (૨) કટુ (૩) કષાય (૪) આ (૫) મધુર. (૧૨)સ્પર્શ નામકર્મ ઃ શરીરની ચામડીનો સ્પર્શ મુલાયમ આદિ પ્રાપ્ત થાય છે. તેના આઠ ભેદો છે. (૧) ગુરુ, (૨) લઘુ, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) સ્નિગ્ધ, (૬) રુક્ષ, (૭) મૂદુ, (૮) કર્કશ વગેરે. (૧૩)આનુપૂર્વી નામકર્મ ઃ જીવ એક ભવ પૂરો કરીને જ્યારે બીજા ભવમાં જતો હોય ત્યારે પોતાના ઉત્પત્તિસ્થાન તરફ જીવને જે વાળે, વળાંક આપે તે ગાડે જોડેલાં બળદની નાથની જેમ આનુપૂર્વી કર્મ કહેવાય છે. તેના ચાર ભેદો છે. દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. (૧૪)વિહાયોગતિ નામકર્મ વિહાયો = આકાશ, ખુલ્લી જગ્યા, તેમાં પગની જે ચાલ તે વિહાયોગતિ. જેમના પગની ચાલ હાથી અને હંસની જેમ માનવંતી, મોભાવાળી હોય તે શુભવિહાયોગતિ અને જેમના પગની ચાલ ઊંટ અને ગધેડાની જેમ અશુભ હોય તે અશુભ વિહાયોગતિ એમ બે ભેદ છે. આ પ્રમાણે ચૌદ પિંડ પ્રકૃતિઓના અર્થપૂર્ણ કર્યા. હવે પ્રત્યેક પ્રકૃતિઓ ૨૮ છે. તેના અર્થ સમજાવાય છે. તે આ પ્રમાણે (૧) પરાઘાત નામકર્મ ઃ જે કર્મના ઉદયથી માણસનો એવો પ્રભાવ થાય કે સામેનો બળવાન માણસ અને વિરોધી માણસ પણ દબાઈ જાય તે પરાઘાત નામકર્મ. (૨) ઉશ્વાસ નામકર્મ ઃ જીવ સુખે સુખે શ્વાસ લઈ શકે તેવા શ્વાસની લબ્ધિ તે શ્વાસોશ્વાસ. (૩) આતપ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર ઠંડું હોય પરંતુ પ્રકાશ ગરમ હોય, જગતને ગરમી આપે તે આતપ નામકર્મ. આ કર્મનો ઉદય સૂર્યના વિમાનમાં જે રત્નો છે. તે રત્નોમાં જે પૃથ્વીકાયના જીવો છે, તેઓને જ હોય છે. બાકીના જીવોને આતપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy