SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જિવાડે છે. (૨) જાતિ નામકર્મ -: જે કર્મ જીવને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય આદિની જાતિમાં લઈ જાય, જાતિ અપાવે તે જાતિનામ કર્મ. તેના પાંચ ભેદ છે. (૧) એકેન્દ્રિય જાતિ, (૨) બેઈન્દ્રિય જાતિ, (૩) તેઈન્દ્રિયજાતિ (૪) ચરિન્દ્રિય જાતિ અને (૫) પંચેન્દ્રિય જાતિ. (૩) શરીર નામકર્મ ઃ જે કર્મથી જીવને શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામકર્મ. તેના પણ પાંચ ભેદ છે. શરીર એટલે જે અવશ્ય નાશ પામે છે. (૧) ઔદારિક શરીર ઃ જે હાડમાંસ-રુધિરાદિથી બનેલું હોય, આ શરીર તિર્યંચ મનુષ્યોને જ હોય છે. ઉદાર એટલે સૌથી મોટું આ શરીર છે. બીજો અર્થ ઉદાર એટલે વધારેમાં વધારે તેજસ્વી તીર્થંકર ભગવન્તાદિની અપેક્ષાએ આ શરીર તેજસ્વી હોય છે. અને ત્રીજો અર્થ ઉદાર એટલે દાનેશ્વરી. સૌથી મોટું દાન મોક્ષનું દાન. આ શરીર જ જીવને કરે છે માટે ઔદારિક કહેવાય છે. (૨) વૈક્રિય શરીર ઃ વિકાર કરે, નાનું-મોટું થાય, ભૂચર-ખેચર થાય, દૃશ્ય-અદૃશ્ય થાય એવું ફરતું શરીર તે વૈક્રિય શરીર, દેવતા અને નારકોને જન્મથી મરણ સુધી આ જ શરીર હોય છે. માટે ભવપ્રત્યયિક વૈક્રિય કહેવાય છે. જેમ પક્ષીને ભવના કારણે ઊડવાની શક્તિ મળે છે, માછલીને ભવના કારણે તરવાની શક્તિ મળે છે તેમ દેવ-નારકીને ભવના કારણે આ શરીર મળે છે. તથા મનુષ્ય-તિર્યંચોને તપ-સ્વાધ્યાય આદિ ગુણોના નિમિત્તે આ શરીર મળે છે. માટે ગુણપ્રત્યયિક – લબ્ધિપ્રત્યયિક કહેવાય છે. (૩) આહારક શરીર : ચૌદ પૂર્વ ભણેલા પૂર્વધર સાધુ મુનિ ભગવન્તો જ જ્યાં શાસ્ત્રમાં પોતાને સંદેહ પડે ત્યારે પ્રશ્નો પૂછવા માટે મહાવિદેહમાં વિચરતા તીર્થંકરાદિના દર્શનાર્થે આ શરીર બનાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy