SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જ મૂર્છાવાળો અને અતિશય ભયંકર કષાય પરિણામવાળો જીવ નરકાયુષ્ય બાંધે છે. (૨) જેનું હૃદય ગૂઢ હોય, ઊંડું હોય, પેટમાં વાત બીજી હોય અને જણાવે બીજી વાત, શલ્યવાળું જેનું મન હોય, શલ્ય એટલે કપટ, માયા, તે કપટયુક્ત ચિત્ત હોય, આવો માયાવી જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. (૩) જેણે પોતાના સ્વભાવને કેળવી કેળવીને પાતળા કષાયવાળો બનાવ્યો છે. તથા જીવનમાં મધ્યમસરના પણ શોભાસ્પદ ગુણો વસાવ્યા છે અને દાન-ધર્મની રુચિ વર્તે છે, એવો જીવ મનુષ્યાયુષ્ય બાંધે છે. (૪) જેણે સંસાર છોડી સાધુતા પ્રાપ્ત કરી છે અને દેવ, ગુરુ, ધર્માદિ ઉપકારક તત્ત્વો ઉપર જેનો રાગ છે તેવા જીવો દેવાયુષ્ય બાંધે છે. આ આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે. અને તે પણ આવતા ભવનું જ આ ભવમાં બંધાય છે. ત્રીજા ભવનું આયુષ્ય બીજા ભવમાં જ બંધાય છે. ચોથા ભવનું આયુષ્ય ત્રીજા ભવમાં જ બંધાય છે. એમ એકેક ભવમાં એકેક ભવનું જ આયુષ્ય બંધાય છે. વધારે આયુષ્ય સાથે બંધાતાં નથી. દેવતા અને નારકીના જીવો પોતાના ભવના ૬ માસ જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે પરભવાયુષ્ય બાંધે છે. જ્યારે મનુષ્ય અને તિર્યંચો પોતાના આ ચાલુ ભવના ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બાંધે છે. દા.ત., આ ભવમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય હોય તો ૬૭મા વર્ષ પછી પરભવનું આયુષ્ય બંધાય છે. પ્રશ્ન : જો ત્રીજા ભાગે આયુષ્ય બંધાતું હોય તો ૬૬ વર્ષ સુધી બે ભાગ જાય ત્યાં સુધી તો લહેર જ કરવાનીને ! ત્રીજા ભાગમાં ૬૭ થી ૧૦૦માં આયુષ્ય બાંધવાના સમયે ચેતનવંતા રહીશું તો ચાલશેને ? ભવ સારો મળશેને? ઉત્તર ઃ આ ભવનું આયુષ્ય આપણું પૂરેપૂરું ૧૦૦ વર્ષનું છે. તેની શી ખાતરી ? કાલની પણ ખબર નથી. યુવાન અને બાળમનુષ્યો પણ ચાલ્યાં જાય છે તો આપણે કેટલા જીવીશું એ કંઈ જ ખબર નથી. માટે કાયમ ત્રીજા ભાગમાં જ છીએ એમ સમજીને સદાય ચેતનવંતા જ રહેવું જોઈએ. કારણ કે આપણું મૃત્યુ ક્યારે થશે તેની કંઈ જ ખબર નથી માટે સદાકાળ આરાધક જ રહેવું જોઈએ. જ્યારે આયુષ્ય બંધાય ત્યારે શુભ જ બંધાય. Jain Education International ૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy