SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પ પણ તેનો ભરોસો કરવાલાયક નથી, માટે જીવનમાંથી બની શકે તેટલા દૂર કરવા પ્રયત્નશીલ થવું. હવે નવ નોકષાય : જે કષાયસ્વરૂપ નથી, પરંતુ કષાયોના ઉત્તેજક છે. જેમ બે મનુષ્યો ચોરી કરવા ગયા. એક અંદર ચોરી કરે છે અને એક બહાર ખબર રાખે છે. તો દેખીતી ચોરી અંદર ગયેલો એક જ માણસ કરે છે. ' બહારવાળો ચોરી નથી કરતો. પરંતુ તે અંદરના ચોરને મદદગાર છે. પ્રેરક છે. તેવી રીતે નોકષાયો કષાયોના પ્રેરક છે. ઉદીપક છે. સહાયક છે. તેના ૯ ભેદો છે. (૧) હાસ્ય મોહનીય ઃ જે કર્મના ઉદયથી જીવને હસવું આવે તેવી હાંસી કરવી, મઝાક કરવી, કોઈની ઉડાવવી, પટ્ટી પાડવી. આ બધા પ્રસંગો પ્રારંભમાં મીઠા લાગે પરંતુ અંતે એકબીજાને ખોટું લાગતાં મહાન કષાય સર્જે છે. (૨) રતિ મોહનીયઃ રતિ એટલે પ્રીતિ, પ્રેમ કરવો, રાગ કરવો, સ્નેહ બતાવવો. આ પણ પ્રારંભમાં મીઠો લાગે છે. પછી કામરાગ થતાં જીવનું પતન થાય છે. (૩) અરતિ મોહનીયઃ અરતિ એટલે ઉદ્વેગ, કંટાળો, તિરસ્કાર, અપ્રીતિ. આ અપ્રીતિ પણ પરસ્પર ક્લેશ કરાવનારી છે. (૪) શોક મોહનીય : અત્યંત શોક કરવો, દુઃખ લાગવું, છાતી ફાટ રડવું, વિગેરે. (૫) ભય મોહનીય ઃ ડરવું, ડરપોકપણું, બીકણપણું, આ પણ જૂઠું બોલાવે છે. (૬) જુગુપ્સા મોહનીય ? જુગુપ્સા એટલે અણગમો, નાખુશી ભાવ. (૭) સ્ત્રીવેદ : સ્ત્રીઓના જીવોને પુરુષની સાથેના સંભોગની જે ઇચ્છાઓ થાય છે તે સ્ત્રીવેદ કહેવાય છે. અહીં શરીરનો આકાર તે વેદ ન લેવો પરંતુ સંભોગની અભિલાષા તે વેદ સમજવો. - (૮) પુરુષવેદઃ પુરુષના જીવોને સ્ત્રીઓની સાથે સંભોગની જે ઇચ્છાઓ થાય છે તે પુરુષવેદ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy