SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું આત્મસુખ છે. આ પ્રમાણે ચૌદ ગુણાઠાણાનું સ્વરૂપ પૂર્ણ થયું. ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ સમજાવ્યું. હવે કર્મસંબંધી પણ કેટલીક ચર્ચા જાણવા જેવી છે, માટે કર્મસંબંધી સ્વરૂપ વિચારીએ. > કર્મસંબંધી ચર્ચા : જગત આખામાં પુદ્ગલાસ્તિકાય ઠાંસી ઠાંસીને ભરેલો છે. તેમાં આઠ વર્ગણાઓ આવે છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તેજસ (૫) શ્વાસ (૬) ભાષા (૭) મન (2) કાર્મણ. ઔદારિક શરીર બનાવવા માટે જે પુદ્ગલો કામ આવે તે ઔદારિક વર્ગણા. તેવી રીતે વૈક્રિયશરીરાદિ બનાવવા માટે જે પુગલો કામ આવે તે વૈક્રિયાદિ વર્ગણા કહેવાય છે. તેવી રીતે કર્મ બાંધવા માટે જે પગલો કામ આવે તે કાર્ય વર્ગણા કહેવાય છે. કાર્મણ વર્ગણાના પુદ્ગલો જ આત્માની સાથે જોઈન્ટ થઈને કર્મરૂપ બને છે. કર્મ બાંધવામાં (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ, એમ ચાર કારણો છે, જેમ કપડું ચોખ્ખું હોય તો તેના ઉપર પડેલી ધૂળને રજ' કહેવાય છે. જે ખંખેરવાથી નીકળી જાય છે. પરંતુ તે જ વસ્ત્ર જે તૈલાદિના ડાઘવાળું હોય તો તે વસ્ત્ર ઉપર પડેલી ધૂળ તે “મેલ” બની જાય છે. રજ અને મેલમાં આટલો ફરક છે. એટલા જ માટે લોગસ્સ સૂત્રમાં વિહુયરયમલા પાઠમાં બંને શબ્દો જુદા લખ્યાં છે. તેવી રીતે આત્મા જ્યારે મિથ્યાત્વાદિ દોષવાળો બને ત્યારે તે આત્માની સાથે જે કાશ્મણ વર્ગણા ચોટે છે તે કર્મ બની જાય છે. (૧) મિથ્યાત્વ : એટલે ઉત્તમ દેવ-ગુરુ ધર્મની શ્રદ્ધા ન કરવી અને કુદેવ, કુગુરુ અને કુધર્મ ઉપર શ્રદ્ધા કરવી, આત્મહિતની ઉપેક્ષા કરવી અને સંસારાભિનન્દી થવું. સત્યમાર્ગની પ્રીતિ ન કરવી અને અસત્ય અહિતકારક માર્ગ ઉપર તથા તેવા માર્ગોપદેશક ઉપર પ્રીતિ કરવી તે મિથ્યાત્વ. (૨) અવિરતિ : સાંસારિક ભોગોનો ત્યાગ ન કરવો. બધા જ પ્રકારનાં પાપ આગ્નવો વગેરે ભોગવવા તે, પૃથ્વીકાયાદિ છ કાયાની હિંસા કરવી તથા મન અને ચક્ષુરાદિ ઈન્દ્રિયોને છૂટી મૂકવી. ઈષ્ટ વિષયોની પ્રાપ્તિમાં રાગ કરવો અને અનિષ્ટ વિષયોની પ્રાપ્તિમાં દ્વેષ કરવો તે અવિરતિ કહેવાય છે. (૩) કષાય : ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ એટલે આવેશ-ગુસ્સો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy