SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ખાલી જગ્યા નથી. પરસ્પર અંતર નથી. લવણસમુદ્ર, કાલોદધિ સમુદ્ર આદિ દરિયાઈ ભાગો ઉપરથી પણ આકાશગામી વિઘાથી જતા મહાત્માઓ પરિણામની વિશુદ્ધિ વડે ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે, ગયા છે અને જશે. સંસારી જીવો ઘણા છે અને મોક્ષે ગયેલા જીવો સંસારી જીવોથી હંમેશા થોડા જ છે. એટલે કે મોક્ષના જીવો સંસારી જીવોથી અનંતમા ભાગના છે. પૂર્વબદ્ધ કર્મોદયના ચાર ભાવ હોય છે. (૧) ઉપશમભાવ (૨) ક્ષયોપશમ ભાવ (૩) ક્ષાયિકભાવ (૪) ઔદિયિકભાવ અને કર્મની અપેક્ષા વિનાનો પાંચમો (૫) પારિણામિક ભાવ એમ કુલ ૪ + ૧ = ૫ ભાવ હોય છે. સંસારી જીવોમાં આ પાંચે ભાવો હોય છે. પરંતુ મોક્ષના જીવોને ફક્ત બે જ ભાવો હોય છે. એક ક્ષાયિક ભાવ અને બીજો પરિણામિક ભાવ. બાકીના ભાવો સિદ્ધ પરમાત્માને નથી. (૧) ઉપશમભાવ : મોહનીય કર્મને દબાવવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે. (૨) ક્ષાયોપથમિક ભાવ : ચાર ઘાતી કર્મોની તીવ્રતાને દબાવી મંદ કરી, મંદ કરેલા તે કર્મને પર રૂપે અથવા સ્વરૂપે ઉદયથી ભોગવતાં જે ગુણો પ્રગટ થાય તે. (૩) ક્ષાયિકભાવ |ઃ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરવાથી આત્મામાં જે જે ગુણો પ્રગટ થાય છે. (૪) ઔદયિકભાવ : પૂર્વે બાંધેલાં કર્મોના ઉદયથી જે ભાવો પ્રાપ્ત થાય તે ઔદયિકભાવ. (૫) પારિણામિક ભાવ : કર્મોની નિમિત્તતા વિના પદાર્થમાં રહેલું જે સહજ સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ તે પરિણામિક ભાવ કહેવાય છે. મોક્ષના જીવમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ભાવના છે. મનુષ્યગતિમાંથી જીવો જ્યારે જ્યારે મોક્ષે જાય છે ત્યારે મનુષ્યભવમાં પંદર પ્રકારની સ્થિતિ વિચારવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy