SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જ્ઞાનને ઢાંકનારું કર્મ તે જ્ઞાનાવરણીય. તે આંખના આડા પાટા જેવું છે. જેમ આંખે પાટા બાંધવાથી માણસ દેખી શકતો નથી તેવી રીતે આ જીવ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વસ્તુને જોઈ શકતો નથી. જ્ઞાનના પાંચ ભેદો છે માટે કર્મના પણ પાંચ ભેદો છે. (૧) મતિજ્ઞાન : પાંચ બાહ્ય અને મન એમ છ ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન : શાસ્ત્ર અને ગુરૂગમના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. (૩) અવધિજ્ઞાન : મર્યાદામાં રહેલાં રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. (૪) મન:પર્યવજ્ઞાન : સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવો જાણવાનું જે જ્ઞાન થાય તે. (૫) કેવળજ્ઞાન : લોકાલોકના સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાન થાય તે કેવળજ્ઞાન. આ પાંચે જ્ઞાનોને આવરણ કરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય. આવી રીતે ૮ કર્મ તેના ૧૨૦ ભેદ થાય છે. તે કર્મગ્રન્થ વખતે સમજાવીશું. આ પ્રકૃતિબંધ છે. (૨) સ્થિતિબંધ: ક્યું કર્મ આત્મા સાથે ક્યાં સુધી રહેશે એમ કાળમાપનું નક્કી થવું તે સ્થિતિબંધ. તેના બે ભેદ છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. ઓછામાં ઓછી સ્થિતિ બંધાય તે જઘન્ય અને વધુમાં વધુ સ્થિતિ બંધાય તે ઉત્કૃષ્ટ, બંને આ પ્રમાણે છે. કર્મ જઘન્ય ઉત્કૃષ્ટ ! કર્મ જઘન્ય ઉત્કૃષ્ટ ૧. જ્ઞાનાવર. અંતર્મુહૂર્ત ૩૦ કોડાકોડી | ૫. આયુષ્યકર્મ અંતર્મુહૂર્ત ૩૩ સાગરોપમ સાગરોપમ ૨. દર્શનાવર. અંતર્મુહૂર્ત ૩૦ ,, છે ૬. નામકર્મ ૮ મુહૂર્ત ૨૦ કોડાકોડી ૩. વેદનીય ૧૨ મુહૂર્ત ૩૦ ,, | ૭. ગોત્રકર્મ ૮ મુહૂર્ત સાગરોપમ ૪. મોહનીય અંતર્મુહૂર્ત ૭૦ ,, | ૮. અંતરાયકમ અંતર્મુહૂર્ત ૩૦ કોડાકોડી કોડાકોડી સાગરોપમ ઉપર મુજબ આઠે કર્મોની સ્થિતિ બંધાય છે. પંચેન્દ્રિય જીવ, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. બાકીના જીવો મધ્યમ સ્થિતિ બાંધે છે. (૩) રસબંધ બંધાયેલાં કર્મો કેટલા જુસ્સાથી પાવરથી ઉદયમાં આવશે પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy