SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પ્રાયશ્ચિત્ત : કરેલી ભૂલની માફી માંગવી, પશ્ચાત્તાપ કરવો, દંડ સ્વીકારવો, ફરીને ન કરવા સાવધ રહેવું તે. (૨) વિનય વડીલો પ્રત્યે નમ્રતાભાવ રાખવો. વિનય કરવો તે. (૩) વૈયાવચ્ચ : ઉપકારી-શૈક્ષક-તપસ્વી-ગ્લાનઆદિ મહાત્માઓની સેવા કરવી. (૪) સ્વાધ્યાય આત્મતત્ત્વનું ચિંતન કરવું, મનન કરવું, નવો અભ્યાસ કરવો. ભણેલું સંભાળવું, શિષ્યોને ભણાવવું, સ્વાધ્યાયમાં લીન થવું તે. (૫) ધ્યાન : જેમ જેમ વધારે અભ્યાસ થતો જાય તેમ તેમ એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. (૬) કાયોત્સર્ગ : ધ્યાનમાં નિપુણ થયા પછી કાયાનો વ્યવસાય અટકાવી આત્મચિંતનમાં લયલીન બની અત્યન્ત સ્થિર થવું તે કાયોત્સર્ગ. આ પ્રમાણે બાર પ્રકારના તપથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થાય છે. નિર્જરાતત્ત્વ પૂર્ણ થયું. > (૮) બંધતત્ત્વ : આત્મા જ્યારે મિથ્યાત્વાદિ બંધ હેતુઓવાળો હોય ત્યારે જે કાશ્મણ વર્ગણા આત્મા સાથે ચોટે તેને બંધ કહેવાય છે. આત્માનું અને કાશ્મણ વર્ગણાનું ચોંટી જવું, જોડાઈ જવું તેને બંધ કહેવાય છે. તેમાં કારણભૂત મિથ્યાત્વ અવિરતિકષાય અને યોગ ચાર છે. જેમ પહેરેલું કપડું ચોખ્ખું, હોય તો તેના ઉપર પડેલી ધૂળને રજ કહેવાય છે, જે ખંખેરવાથી ઊડી જાય છે. પરંતુ જો તે જ કપડું તેલના ડાઘવાળું હોય તો તે જ રજ મેલી બની જાય છે. તેવી રીતે આત્માને લાગેલી કાર્મણ વર્મણારૂપી રજ મિથ્યાત્વાદિ ડાઘને કારણે મેલની જેમ કર્મ બને છે. તેને બંધ કહેવાય છે. તેના પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ બંધ એમ ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબંધ : પ્રકૃતિ એટલે સ્વભાવનું નક્કી થયું છે. જેમ જ્ઞાનને ઢાંકે તે જ્ઞાનાવરણીય વિગેરે. કર્મના મૂલ ભેદ ૮ છે. ઉત્તરભેદ બંધમાં ૧૨૦ ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy