SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અને બીજો અત્યંતર તપ - આ બંને તપના છ-છ પ્રકારો છે. બાહ્યતાના ૬ પ્રકાર : જે શરીરને તપાવે - લોકો દેખી શકે, જેને જોઈને લોકો તપસી કહે તે બાહ્ય તપ કહેવાય છે. તેના છ પ્રકાર છે. (૧) અણસણ : આહારનો ત્યાગ. આહાર ચાર જાતના છે તે આ પ્રમાણે. ૧. અશન : ભોજન-જે ખાવાથી પેટ ભરાય, રોટલો-રોટલી-ભાખરી વિગેરે ૨. પાણ : જે પીવાય તે જલાદિ ૩. ખાદિમ : જે ખવાય પરંતુ પેટ ન ભરાય તે મેવા - ફુટ વિગેરે. ૪. સ્વાદિમ : જે મુખવાસરૂપે જ લેવાય તે વરિયાળી વિગેરે. આ ચારે પ્રકારના આહારનો ત્યાગ તે ચોવિહાર. પાણી વિના ત્રણ આહારનો ત્યાગ તે તિવિહાર. ઉપવાસ-એકાસણું-આયંબિલ - છઠ-આઠમ વિગેરે જે તપ તે બાહ્યતા. (૨) ઉણોદરિકા : ભૂખ કરતાં ઓછું ખાવું તે ઉણોદરી - બેચાર કોળિયા ઓછું ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ : ઇચ્છાઓને રોકવી તે ખાવાની ચીજોમાં ઇચ્છાઓનો કંટ્રોલ કરવો તે. (૪) રસત્યાગ : રસવાળી જે ખાસ વિશિષ્ટ વસ્તુ તેનો ત્યાગ કરવો. (૫) કાયકલેશ : કાયાને કંઈ ને કંઈ કઠિનાઈઓમાં રાખવી, સુખશેલીયા ન થવું તે. (૬) સંલીનતા : શરીરનાં અંગોપાંગ સંકોચીને રાખવાં. વિકાર-વાસના ન થાય તે રીતે રહેવું તથા ઈચ્છાઓને સંક્ષેપવી તે સંલેખના કહેવાય છે. અત્યંતર તપના ૬ પ્રકાર : જે આત્માને તપાવે. લોકો ન દેખી શકે. જેનાથી લોકો તપસી ન કહે તે તપને અત્યંતર તપ કહેવાય છે. તેના ૬ ભેદ છે. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy