SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આદરવા જેવા અર્થાત્ ઉપાદેય છે. જેમ કે પગમાં લાગેલો કાંટો કાઢવા માટે સોય નાંખવી પડે છે. હકીકતથી સોય પણ કાઢી જ નાંખવાની છે. તથાપિ પ્રારંભમાં તેને આદરવી પડે છે. તેમજ પુણ્ય પણ કર્તવ્ય છે. ૧ થી ૫ ગુણઠાણાં સુધી જીવ આરંભ-સમારંભવાળો હોવાથી પુણ્ય પણ કર્તવ્ય છે અને અન્ને હેય છે. હવે આ બંધાયેલું પુણ્ય જીવને ૪૨ પ્રકારે સાનુકૂળ સુખ આપે છે. તેનાં નામો માત્ર અહીં લખીએ છીએ. અર્થો દર્મગ્રંથમાં સમજાવીશું. (૧) શાતાવેદનીય (૨) ઉચ્ચગોત્ર (૩-૪) મનુષ્યદ્ધિક – એટલે મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી (૫-૬) દેવદિક – દેવગતિ અને દેવાનુપૂર્વી (૭) પંચેન્દ્રિય જાતિ (૮-૯-૧૦-૧૧-૧૨) પાંચ શરીરો ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્પણ એમ પાંચ શરીરો (૧૩-૧૪-૧૫) ત્રણ અંગોપાંગ - ઔદારિકાંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, આહારકાંગોપાંગ. (૧૬) વજ ઋષભ નારાચસંઘયણ (૧૭) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૧૮-૧૯-૨૦-૨૧) શુભ વર્ણચતુષ્ક, વર્ગ-ગંધ-રસ-સ્પર્શ (૨૨) અગુરુલઘુ (૨૩) પરાઘાત નામકર્મ (૨૪) ઉશ્વાસનામકર્મ (૨૫) આતપ નામકર્મ (૨૬) ઉદ્યોત નામકર્મ (૨૭) શુભવિહાયોગતિ (૨૮) નિર્માણ નામકર્મ (૨૯) દેવાયુષ્ય (૩૦) મનુષ્પાયુષ્ય (૩૧) તિર્યંચાયુષ્ય (૩૨) તીર્થંકર નામકર્મ, (૩૩ થી ૪૨) ત્રસદશક - ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશ એમ કુલ ૪ર પ્રકૃતિઓ પુણ્યોદયની છે. આ ૪૨ તથા પાપની ૮૨ પ્રકૃતિઓના અર્થ કર્મગ્રંથ વખતે સમજાવીશું. શાસ્ત્રોમાં પુણ્ય-પાપની ચતુર્ભાગી આવે છે. તે આ પ્રમાણે : (૧) પુણ્યાનુબંધી પુણ્ય (૨) પાપાનુબંધી પુણ્ય (૩) પુણ્યાનુબંધી પાપ અને (૪) પાપાનુબંધી પાપ. એમ કુલ ચાર પ્રકારની પુણ્ય પાપની ચૌભંગી થાય છે. (૧) જે જીવો આ ભવમાં પૂર્વકૃત પુણ્યના ઉદયવાળા છે. અત્યન્ત સુખી, નિરોગી અને સમૃદ્ધિવાળા છે. છતાં સંસારી ભાવોથી અલિપ્ત છે. આસક્તિ વિનાના છે. સંસારમાં રહે છે પરંતુ જલકમલની જેમ વર્તે છે. તેવા જીવોને જે આ પુણ્ય ઉદયમાં આવેલ છે, તે “પુણ્યાનુબંધી પુણ્ય' પુણ્યનો (ભાવપુણ્યનો = મોહના ક્ષયોપશમનો) અનુબંધ કરાવે તેવો પુણ્યોદય (૨) જે જીવો આ ભવમાં પૂર્વકૃત પુણ્યના ઉદયવાળા છે. અત્યન્ત ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy