SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વડે સ્તવ્યા. તેઓ ચંદ્ર કરતાં વધુ શીતળ છે. સૂર્ય કરતાં વધુ અધિક જ્ઞાન પ્રકાશ ફેલાવનારા છે. સાગર કરતાં વધુ ગંભીર છે. મને (મારા આત્માથી ભાવિમાં મળનારી) ઉત્તમ સમાધિ, સમ્યકત્વ અને સમાધિમરણમાં નિમિત્તરૂપે સહાયક હોજો. આવા સાચા તારક મહાત્માઓનું શરણું મળવું જ મહાદુર્લભ છે તેથી હું વારંવાર તેઓની સ્તવના કરું છું. > કરેમિભતસૂત્ર યાને સામાયિક લેવાનું સૂત્ર : તીર્થકર ભગવન્તોએ મોક્ષે જવા માટેનો “સમ્યગદર્શન - જ્ઞાન અને ચારિત્રરૂપ માર્ગ બતાવેલો છે. પૂ. ઉમાસ્વાલીજી મહારાજે તત્ત્વાર્થના પ્રથમ સૂત્રમાં આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. ચારિત્રના ભેદોમાં સૌ પ્રથમ ભેદ “સામાયિક' છે. સમતાભાવ-પ્રાપ્તિ તે સામાયિક કહેવાય છે, જેમાં આત્મા હળવાશ અનુભવે છે. ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય છતાં રાગ ન કરે અને અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય છતાં વેષ ન કરે. સમતોલ મનોવૃત્તિ રાખે તેવું જીવન તે સામાયિક કહેવાય છે. સાધુ-સાધ્વીજી ભગવન્તોને દીક્ષા ગ્રહણ કરે ત્યારથી જ જીવે ત્યાં સુધી સામાયિક વ્રત છે. પરંતુ ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ પોતાના ઘરના વ્યાવસાયિક પ્રવૃત્તિ આદિમાંથી નિવૃત્ત થઈને અલ્પ સમય માટે સંસારવ્યવહાર છોડી સાધુના જેવું આચરણવાળું જે જીવન જીવે તેને સામાયિક કહેવાય છે. આ સૂત્ર સામાયિક લેવામાં પચ્ચખાણરૂપ સૂત્ર છે. તીર્થકર ભગવન્તો જ્યારે દીક્ષા લે છે ત્યારે અંતે પદ વિના આ જ સૂત્ર બોલે છે. એટલે પ્રભુમુખે બોલાયેલું આ સૂત્ર છે. “હે પ્રભુ ! હું સામાયિક કરું છું. પાપવાળા સર્વ વ્યાપારોનો હું ત્યાગ કરું છું. જ્યાં સુધી આ સામાયિકના નિયમને સેવીશ ત્યાં સુધી મનથી, વચનથી અને કાયાથી પાપ કરીશ નહીં અને કરાવીશ નહિ. તેથી હે પ્રભુ ! મેં ભૂતકાળમાં કરેલા પાપનું હું પ્રતિક્રમણ કરું છું. નિંદા કરું છું. વિશેષ નિન્દા કરું છું. અને હવેથી આવાં પાપોથી મારા આત્માને વોસિરાવું છું. (અર્થાત્ દૂર કરું છું.' અવશ્ય કરવાલાયક કાર્યોને “આવશ્યક' કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં ૬ આવશ્યક પ્રસિદ્ધ છે તે છએ આવશ્યકો આ સૂત્રમાં ગર્ભિત રીતે ગૂંથેલા છે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy