SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તથા ‘ચંદેસુ નિમ્મલવરા' સુધી ગણવાથી એક લોગસ્સના ૨૫ શ્વાસ થાય જેથી ૪૦ લોગસ્સના ૨૫ શ્વાસ પ્રમાણે ૧૦૦૦ શ્વાસ થાય. ઉપરાંત ૧ નવકાર ગણવાથી તેના ૮ શ્વાસ સાથે ૧૦૦૮ શ્વાસ થાય. આ માટે લોગસ્સ ચંદ્રેસુ ‘નિમ્મલયરા' સુધી ગણાય છે. ચોમાસી પ્રતિક્રમણનો કાઉસગ્ગ ૫૦૦ શ્વાસનો છે. તેથી ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી ગણતાં ૨૦ લોગ્ડસ ગણવાથી ઉપરોક્ત શ્વાસની સંખ્યા પુરાય છે. પખ્ખી પ્રતિક્રમણનો કાઉસગ્ગ ૩૦૦ શ્વાસનો છે. તેથી શ્વાસની દૃષ્ટિએ ૧૨ લોગસ્સ ગણાય છે. આ પ્રમાણે ‘ચંદ્રેશુ નિમ્મલયરા' સુધીની ગણના શ્વાસની સાથે સંબંધવાળી છે ! વળી જ્યાં ૧૦૮ શ્વાસનો ‘સવારના પ્રતિક્રમણ આદિનો જે કાઉસગ્ગ છે તે કુસ્વપ્નાદિના નિવારણ માટે છે. ત્યાં ‘સાગરવરગંભીરા’ સુધી ગણવાથી ૧ લોગસ્સના ૨૭ શ્વાસ થતાં ૧૦૮ શ્વાસ પુરાય છે. માટે ‘સાગરવરગંભીરા' સુધી ગણાય છે. અને આત્મશાન્તિ માટે દુઃખક્ષયાદિના નિમિત્તે જ્યારે કાઉસગ્ગ કરાય છે ત્યારે શાન્તિ નિમિત્તે હોવાથી પરિપૂર્ણ લોગસ્સ ગણાય છે. લોગસ્સના અનભ્યાસીની સુલભતા ખાતર તેના સ્થાને રૂપક તરીકે નવકા૨થી કાઉસગ્ગ કરાય છે. આ કાયોત્સર્ગ પૂર્ણ થાય ત્યારે કાંઈક વિશેષોચ્ચારણરૂપે ‘નમો અરિહંતાણં' બોલવું જોઈએ અને ત્યારબાદ જ કાયા ચલિત કરવી જોઈએ, કારણ કે અન્નત્થ સૂત્રમાં આવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે. જ્યાં સુધી ‘નમો અરિહંતાણં' કહીને કાઉસગ્ગ પળાય નહીં ત્યાં સુધી કાઉસગ્ગમાં એક જ સ્થાને મૌનપણે અને એક જ ધ્યાને ઊભા રહેવાનું હોય છે. તેથી લઘુશાન્તિ આદિનો આદેશ લેનારી કોઈ વ્યક્તિ શાન્તિ બોલતી હોય ત્યારે વગર પાળે ભૂલો કાઢવા માટે બોલવાની જે ટેવ છે તે ઉચિત નથી. આ માટે જ વડીલ વ્યક્તિ કાઉસગ્ગ પ્રથમ પાળે છે કે જેથી તેઓ બોલનારની ભૂલ સુધારી શકે. બીજાએ બોલવું જોઈએ નહીં. પ્રશ્ન : આ કાયોત્સર્ગમાં કંઈ હલનચલન થાય તો શું દોષ લાગે ? શાસ્ત્રમાં કાઉસગ્ગમાં આવા કેટલા દોષો ગણાવ્યા હશે. ઉત્તર : જો હલનચલન થાય તો કરેલી પ્રતિજ્ઞાનો ભંગ થવાથી દોષ Jain Education International ૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy