SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સર્વથા પરિગ્રહ વિરમણવ્રત - પૌદ્ગલિક કોઈપણ પદાર્થો પ્રત્યે મૂછ, મમતા રાખવી નહીં. ઈષ્ટતાબુદ્ધિ કરવી નહીં, કરાવવી નહીં અને સારી માનવી નહીં. ઉપરોક્ત પાંચ મહાવ્રતો પાળનારા આચાર્ય ભગવન્તો હોય છે તેથી તેમના આ પાંચ ગુણો કહેવાય છે. > (૬) પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ : આચાર્ય ભગવન્તો સતત પાંચ ઉત્તમાચારોનું સ્વયં પાલન કરનારા છે અને અન્યને પાલન કરાવનારા છે. તે પંચાચારના અર્થો આ પ્રમાણે છે. (૧) જ્ઞાનાચાર - યોગ્ય કાળે વિનયપૂર્વક સમ્યકજ્ઞાન ભણવું અને ભણાવવું. (૨) દર્શનાચાર - જિનેશ્વર ભગવન્તોનાં વચનોમાં નિઃસંદેહ બુદ્ધિ કરવી. (૩) ચારિત્રાચાર - સમિતિ-ગુણિપૂર્વકનો ઉત્તમ આચાર પાળવો અને પળાવવો. પૌદ્ગલિક ભાવોનો ત્યાગ કરવો તે બાહ્ય તપ અને આંતરિક કષાયોનો ત્યાગ તે અત્યંતર તપ. (૫) વીચાર પોતાની શારીરિક, વાચિક અને માનસિક શક્તિને ઘર્મમાં જોડવી. > (૭) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત : સારા કામમાં આત્માના કલ્યાણકારી એવા કામમાં પ્રવૃત્તિ કરવી તે સમિતિ અને ખોટાં કામોથી નિવૃત્તિ કરવી તે ગુમિ કહેવાય છે. કોઈ કોઈ ઠેકાણે ગુપ્તિનો અર્થ અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ એમ ઉભય પણ લખેલો છે. આચાર્ય મહારાજાઓ આ સમિતિઓ અને ગુતિઓનું પોતાના જીવનમાં બહુ સારી રીતે પાલન કરનાર હોય છે. તે સમિતિ અને ગુપ્તિનું વર્ણન સંક્ષેપમાં તપાચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy