SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જ જ્ઞાની પુરુષો તૃષ્ણાથી દૂર જ રહેવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે “પ + ૯ + ૪ = ૧૮” આચાર્ય મહારાજના આ અઢાર ગુણો સમજાવ્યા. આ અઢારે ગુણોથી યુક્ત આચાર્ય હોય છે. હવે પછીની બીજી ગાથાઓમાં વિઘેયાત્મક ૧૮ ગુણો આવે છે તેનું વર્ણન આ પ્રમાણે છે > પાંચ મહાવ્રતોથી યુક્ત : સંસારી જીવોનું જીવન આરંભ-સમારંભથી ભરપૂર છે. જૈન શાસનને પ્રાપ્ત કરી યથાશક્ય આરંભ - સમારંભ જીવનમાં તજાય એ જ આત્મકલ્યાણકારક છે. જેઓ પોતાના જીવનમાંથી સર્વથા આરંભ-સમારંભાદિ પાપો છોડી દે છે તેને મહાવ્રત કહેવાય છે. અને જેઓ પોતાના જીવનમાંથી યર્કિંચિત્ આરંભ-સમારંભ આદિ છોડી શકે છે તેને અણુવ્રત કહેવાય છે. સાધુ મહાત્માઓને પાંચ મહાવ્રતો હોય છે તેથી તેઓને સર્વવિરતિધર અર્થાત્ અણગાર કહેવાય છે. અને શ્રાવકાત્માઓને પાંચ અણુવ્રતો હોય છે તેથી તેઓને દેશવિરતિધર અર્થાત્ અગારી-ગૃહસ્થ કહેવાય છે. પાંચ મહાવ્રતોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત - નાનામોટા કોઈપણ જીવને હણવો, હણાવવો કે હણતા-ને વખાણવો નહીં. (૨) સર્વથા મૃષાવાદ વિરમણવ્રત - નાનુંમોટું કોઈપણ જાતનું જૂઠું બોલવું નહીં બોલાવવું નહીં, બોલતાને સારો માનવો નહીં. (૩) સર્વથા અદત્તાદાન વિરમણવ્રત - નાનીમોટી કોઈપણ જાતની ચોરી કરવી નહીં, કરાવવી નહીં. કરતાંને સારી માનવી નહીં. (૪) સર્વથા મૈથુન વિરમણવ્રત સ્ત્રીનો સ્પર્શ પણ કરવો નહીં, વિકાર-વાસનાઓ કરવી નહીં, કરાવવી નહીં, કરતાંને સારા માનવા નહીં. ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy