SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગોઠવાયેલા જ છે. તેને ક્રમબદ્ધ પર્યાય કહેવાય છે. જેમ થવાનું હોય તેમ જ થાય છે. તમે લાખો ઉપાય કરો તો પણ થવાનું હોય તે જ થાય છે. જેમ કે રામચંદ્રજીને જે સમયે રાજગાદી મળવાની હતી તે જ સમયે તેમને વનવાસ જવાનું બન્યું. માટે ભાવિમાં થવાવાળું બધું નિયત જ છે. નક્કી જ છે. આ પણ નિયતિનો એકાન્તવાદ છે. (૪) પ્રારબ્ધવાદી : આ પણ મત એવો છે કે પ્રારબ્ધ એટલે કર્મ-કર્મ કરે તે જ થાય - આપણા પુણ્યકર્મ હોય તો તે કર્મ સારું કરી આપે છે અને પાપકર્મ હોય તો અશુભ કરી આપે છે. માટે કર્મ જ શુભાશુભ કરનાર છે. ભગવાન મહાવીર સ્વામી જેવા આત્માને પણ કર્મના ઉદયથી જ કાનમાં ખીલા નંખાયા. ખંધક મુનિની જીવંત છાલ ઉતારી. શ્રેણિક જેવા મહારાજા કેદમાં પુરાયા. પાર્શ્વનાથને મેધમાલીનો ઉપદ્રવ થયો. માટે કર્મ જ બધું કરનાર છે. આ પણ પ્રારબ્ધનો એકાન્તવાદ છે. (૫) પુરુષુથવાદી : આપણે પુરુષાર્થ કરીએ તો જ ફળ પ્રાપ્ત થાય. માણસ નોકરી ધંધો કરે તો જ પૈસા મળે છે. રસોઈ બનાવીએ તો જ ભોજન મળે છે. કામકાજ કરીએ તો જ ફળ પ્રાપ્ત થાય છે. ખેડૂત ખેતી કરે તો જ અનાજ પાકે છે. માટે પુરુષાર્થ કરીએ તો જ ફળપ્રાપ્તિ થાય છે. સર્વ કાર્યો પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ એ જ મુખ્ય કારણ છે. આ પણ પુરુષાર્થનો એકાન્તવાદ છે. ઉપર સમજાવેલા બધા એકાન્તવાદો મિથ્યા છે. દરેક પોતપોતાની વાત અતિશય આગ્રહથી કહે છે અને બીજાનો અપલાપ કરે છે માટે બરાબર નથી. પરંતુ પાંચેનો યોગ એ જ વાસ્તવિક કાર્ય કરનાર છે. આપણે છદ્મસ્થ છીએ, કેવળજ્ઞાની નથી. ત્યાં સુધી આત્મકલ્યાણ કરવા માટે પુરુષાર્થને મુખ્ય કરવો. બીજા ચારનો અપલાપ ન કરવો. ધન કમાવામાં, પરિવારની સુખાકારીમાં ભવિતવ્યતા પ્રારબ્ધ કે કાળને કોઈ મુખ્ય કરતું નથી. અને ધર્મમાં જ ભવિતવ્યતા આગળ કરીને પુરુષાર્થને ઉડાડે છે તે બરાબર ઉચિત નથી. ઘરમાં કોઈ માંદું હોય તો દરેક સગાંવહાલાં તેની દવા કરાવશે. ડૉક્ટરો લાવશે. દવાખાને લઈ જશે. ડૉકટરો આશા છોડી દે તો પણ દવા અપાવશે. એનો અર્થ એ છે કે ભવિતવ્યતાથી, કાળથી, કર્મથી જે બનવાનું હોય તે ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy