SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ભલે બને પરંતુ આપણે દર્દીને જિવાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ આ પ્રયત્નથી તેનું આયુષ્ય બચવાનું હોય તો બચી પણ જાય. જો આ રીતે સંસારી કાર્યોની અંદર પાંચમાં પુરુષાર્થ જ પ્રધાન હોય તો પછી ઘર્મનાં કાર્યોમાં પુરુષાર્થને પ્રધાન કેમ ન કરવો જોઈએ? કોઈપણ ધંધામાં ચારપાંચ વાર નિષ્ફળ ગયા હોઈએ પૈસા ખોયા હોય છતાં છઠ્ઠી વખતે પણ યથાર્થ લાઈન દેખાય તો કમાવા માટે પુરુષાર્થ જ કરીએ છીએ તો કર્મક્ષય નિમિત્તે અને ધર્મપ્રાપ્તિ માટે પુરુષાર્થને મુખ્ય કેમ ન કરાય ? તેથી છ સ્થ આત્માઓએ ધર્મપ્રાપ્તિ માટે પુરુષાર્થ જ મુખ્ય કરવો જોઈએ. પુરુષાર્થ કરવા છતાં ફળપ્રાપ્તિ ન થાય અને આત્માને અફસોસ અથવા આર્તધ્યાન થતું હોય તો ત્યારે ભવિતવ્યતા અને પ્રારબ્ધને મુખ્ય કરવા જોઈએ. પરંતુ કાર્યસિદ્ધિ માટે પ્રથમ તો પુરુષાર્થને જ આગળ કરી પ્રવૃત્તિ કરવી જોઈએ. અને પાંચેના સમૂહથી કાર્યસિદ્ધિ માનવી જોઈએ. આ પ્રમાણે સ્યાદ્વાદ-અનેકાન્તવાદ સમજાવ્યો તથા કાળ-સ્વભાવ, નિયતિ-પ્રારબ્ધ અને પુરુષાર્થના સમુચ્ચયથી કાર્ય થાય છે તે સમજાવ્યું. જૈન દર્શનના પ્રાથમિક કેટલાક વિષયોનો આપણે આ વિષયોમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે. વિષયો ઘણા છે. સમજવા જેવા છે. પરંતુ પ્રાથમિક થોડો પારિભાષિક શબ્દોનો પરિચય તથા અભ્યાસ થાય તો વિષય સુખકારક રીતે સમજાય તે માટે અલ્પ પ્રયત્ન કર્યો છે. આ અલ્પ અભ્યાસરૂપ પ્રયત્નથી સર્વે જીવો જ્ઞાનાભ્યાસ કરીને આત્મકલ્યાણ કરનાર બને. એ જ અભિલાષા સાથે..... ૧૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy