SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિનાશવાળો છે. પરંતુ દરેક ભવોમાં આત્મા તેનો તે જ રહે છે. એવી જ રીતે એક ભવમાં પણ બાલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થામાં અવસ્થાથી બદલાતો છે. અને પુરુષ પણે તેનો તે જ છે, માટે ધ્રુવ છે. યુવાવસ્થામાં વર્તતો પુરુષ બાલ્યાવસ્થાના ચરિત્રથી શરમાય છે. અને ભાવિની વૃદ્ધાવસ્થાના સુખ માટે પ્રયત્નશીલ છે. એનો અર્થ એ છે કે ત્રણે અવસ્થામાં આત્મા દ્રવ્ય તેનું તે છે. ધ્રુવ છે. જો બીજો જ આત્મા બનતો હોય તો શેનો શરમાય? માટે ધ્રુવ પણ છે. તેમજ યુવાવસ્થામાં બાલ્યાવસ્થાના કાર્યો નથી કરતો તેથી બદલાયો પણ છે. તેથી અનિત્ય પણ છે. સોનાનું કડું ભગાવી કુંડલ બનાવ્યું તેમાં કડાપણાનો વિનાશ, કુંડલપણાની ઉત્પત્તિ અને સોનાપણાની બંને અવસ્થામાં ધ્રુવતા પણ રહેલી છે. શાસ્ત્રમાં દૃષ્ટાંતો આવે છે કે એક બાળક સોનાના કડાનો અર્થી હતો તેથી સોનાના કડાથી તે રમતો હતો. તેને કડાથી ૨મતો જોઈ બીજા બાળકે કુંડળથી રમવાનો ક્લેશ કર્યો. આ બંને બાળકના પિતા પાસે બીજા સોનાની જોગવાઈ ન હતી. તેથી પિતા બંને બાળકને લઈને સોની પાસે કડુ ભંગાવી પોતાના તે જ સોનામાંથી બીજા બાળકના આત્માની શાન્તિને માટે કુંડલ બનાવવાનો આદેશ આપે છે. સોની જેમ જેમ કડું ભાંગી કુંડલ બનાવે છે તેમ તેમ પ્રથમ બાળક રડે છે. કારણ કે તે પોતાના ઇષ્ટ કડા પર્યાયનો નાશ દેખે છે. બીજો બાળક હર્ષ પામે છે કારણ કે તે પોતાના ઇષ્ટ કુંડલ પર્યાયનો ઉત્પાદ દેખે છે. પિતા ઉદાસીન મધ્યસ્થ રહે છે. કારણ કે તે તો કડા અને કુંડલ એમ બન્ને પર્યાયોમાં પોતાના સોના દ્રવ્યની ધ્રુવતા જ દેખે છે. દૂધથી દહીં બને છે. ત્યારે દૂધનો વિનાશ થાય છે. દહીનો ઉત્પાદ થાય છે અને ગોરસ પણે તે દ્રવ્ય ધ્રુવ રહે છે. એટલા જ માટે ‘આજનો દિવસ દૂધ જ પીવું' એવો નિયમ જેણે લીધો હોય તે આત્મા દહી જમતો નથી. અને આજનો દિવસ દહીં જ જમવું. એવા નિયમવાળો આત્મા દૂધ પીતો નથી. તથા આજનો દિવસ ‘અગોરસ જ લેવુ’ અર્થાત ગાયનું દૂધ અને દૂધથી બનેલું ન લેવું. એવા નિયમવાળો દૂધ, દહીં બન્ને ખાતો નથી. તેથી દૂધનો નાશ, દહીંનો ઉત્પાદ અને ગોરસની ઘ્રુવતા રહેલી છે. આ પ્રમાણે જગતના સર્વે પદાર્થો ઉત્પાદ-વ્યય અને ધ્રુવતાવાળા · છે. અહીં કેટલાક એવી શંકા કરે છે કે નિત્ય અને અનિત્ય બંને શબ્દો Jain Education International ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy