SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭-૮ : પ્રત્યેક અને સાધારણ : જે જીવવાર સૌને જુદું જુદું શરીર મળે તે પ્રત્યેક નામકર્મ અને અનંતા જીવો વચ્ચે એક જ શરીર મળે તે સાધારણ. ૯-૧૦: સ્થિર અને અસ્થિર : શરીરમાં દાંત-હાડકાં વિગેરે અવયવો સ્થિર પ્રાપ્ત થાય છે. તે સ્થિર નામકર્મ, અને જીભ, પાંપણ વિગેરે ચલિત પ્રાપ્ત થાય તે અસ્થિર. ૧૧-૧૨ શુભ અને અશુભ ઃ શરીરમાં નાભિથી ઉપરના અવયવો સ્વાભાવિક રીતે જ શુભ પ્રાપ્ત થાય કે જેનો સ્પર્શ બીજાને આનંદકારી બને તે શુભ અને નાભિથી નીચેના અવયવો અશુભ પ્રાપ્ત થાય છે કે જે પગ આદિના સ્પર્શથી જીવને દુઃખ થાય છે. તે અશુભ નામકર્મ. ૧૩-૧૪: સૌભાગ્ય અને દૌર્ભાગ્ય: ઓછું કામ કરવા છતાં જીવ બીજાને વહાલો લાગે તે સૌભાગ્ય અને વધુ કામકાજ કરે છતાં જીવ બીજાને વહાલો ન લાગે તે દૌર્ભાગ્ય નામકર્મ કહેવાય છે. ૧૫-૧૬ઃ આદેય અને અનાદય : આપણું બોલેલું વચન લોકો જલ્દી ગ્રહણ કરે તે આદેય અને યુક્તિપૂર્વકનું બોલેલું હોવા છતાં જે વચન લોકો ગ્રાહ્ય ન કરે તે અનાદેયનામ કર્મ. ૧૭-૧૮ સુસ્વર અને દુઃસ્વર : પ્રાણીનો સ્વર કોયલ જેવો મધુર પ્રાપ્ત થાય તે સુસ્વર અને ગધેડા-ઉટ જેવો ખરાબ સ્વર મળે તે દુ:સ્વરનામ ૧૯-૨૦ યશ અને અયશનામકર્મ જીવની ચારે દિશામાં પ્રસિદ્ધિ ગુણગાન થાય તે યશનામકર્મ અને જીવ સારું કામકાજ કરે છતાં લોકો પ્રશંસે નહીં. લોકોને ગમે નહીં તે અયશનામકર્મ. આ પ્રમાણે નામકર્મની પ્રકૃતિઓના અર્થ સમજાવ્યા તેમાં નામકર્મની ૪૨-૯૩-૧૦૩-૬૭ એમ ચાર જાતનો આંક બનાવવામાં આવે છે. ૧૪ પિંડપ્રકૃતિઓ + ૮ પ્રત્યેક + ૧૦ ત્રસદશકશુભ + ૧૦ સ્થાવર દશક અશુભ = ૪૨. હવે ૧૪ પિંડ કૃતિઓના પાછળ સમજાવ્યા મુજબ પેટાભેદો જો ગણવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy