SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ નિશ્ચયનય ઉપચારનો ત્યાગ કરીને તત્ત્વભૂતવસ્તુને ગ્રહણ કરનાર હોવાથી ઉત્તરગુણસ્થાનકવર્તી એવો દેશ-સર્વચારિત્રીયાને જ તાત્ત્વિક યોગ છે એમ માને છે. સબન્ધક અને આદિશબ્દથી દ્વિર્બન્ધક જીવોને તો અશુદ્ધ પરિણામ હોવાથી નિશ્ચય કે વ્યવહાર એમ બંને નયોની અપેક્ષાએ આ સ્થાનાદિ યોગો તે યોગ રૂ૫ નથી. પરંતુ યોગનો આભાસ માત્ર છે એમ જાણવું યોગબિંદુમાં કહ્યું છે કે - "सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । પ્રત્યાયનપ્રાપ્તિથી વેષાદ્ધિમત્રતઃ || યોગબિંદુ ૩૭૦ || सकृद् = एकवारमावर्तन्ते उत्कृष्टां स्थितिं बध्नन्ति ये ते सकृदावर्तनाः आदिशब्दाद्विरावर्तनादिग्रहः, “अतात्त्विकः" व्यवहारतो निश्चयश्चातत्त्वरूपः ।। રૂ || સમૃદાવર્તનાદિ (સબન્ધકાદિ) જીવોને વેશાદિમાત્ર હોવાથી આ યોગ અતાત્ત્વિક છે તથા અનર્થકારી ફળવાળો પ્રાયઃ છે |૩૭૦ || મિથ્યાત્વગુણસ્થાનક હોવા છતાં જે આત્માઓ એવી દશાને પામ્યા મિથ્યત્વમોહનીયાદિ કર્મોની ૭૦ ૩૦ ૨૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત એક જ વાર બાંધવાના છે. પછી અપુનર્બન્ધક થવાના છે. તે સકૃદાવર્તન અર્થાત્ સકુબન્ધક કહેવાય છે. તેવી રીતે બે જ વાર ફક્ત ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાના છે. પછી અપુનબંધક થવાના છે તે દ્વિરાવર્તન (દ્વિબંધક) કહેવાય છે. એટલે કે અપનબંધકની પૂવવસ્થા તે સબન્ધક અને તેની પૂર્વાવસ્થા તે દ્વિર્બન્ધક. આવા જીવો (ભલે અનાદિ ગાઢતર મિથ્યાત્વાદિની અપેક્ષાએ કંઈક વિશિષ્ટ હોય તોપણ) અપુનબંધકાદિ ચાર પ્રકારના યોગભૂમિકાવાળા જીવોની અપેક્ષાએ અશુદ્ધ હોવાથી નિશ્ચયનય અને વ્યવહારનય એમ બંને નયોથી અતાત્ત્વિક એટલે “અતત્ત્વસ્વરૂપ” જ યોગ હોય છે. તેઓને વેષાદિ માત્ર હોવાથી અને ૧ અહીં પુસ્તકમાં ચોથા લખ્યું છે. પરંતુ ચોમાસ શબ્દ હોવો જોઈએ એમ લાગે છે. 0 શ્રી યોગવિશિા જ ૩૪ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy