SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી ૧૩૧ સુખાભાસ કરાવનારા છે. અને વિયોગમાં દારૂણ દુ:ખ આપનારા છે. સંયોગ થાય ત્યારે તું જેમ હર્ષ પામે છે. તેમ તેના વિયોગમાં તું રડનાર અને દીન બનનાર છે. ખસના રોગીને ખંજવાળ ઉપડે ત્યારે ખણવાની પ્રક્રિયા ખંજવાળને ઘડીભર માટે જેમ રોકનાર છે તેમ પરદ્રવ્યો ઘડીભર માટે દુ:ખનો પ્રતિકાર માત્ર કરનારાં છે. પરંતુ દુઃખનો નાશ કરનારાં નથી કે સુખ આપનારાં નથી. સુખ અને આનંદ એ તો આત્માના સહજ (સ્વાભાવિક) ગુણો છે. પરત ગુણો નથી. તેથી પરદ્રવ્યોની આશા મમતા ઇચ્છા સ્પૃહા અપેક્ષા હે આત્મા ! તું ત્યજી દે. આ તો વિષવેલડીથી પણ વધારે ભયંકર છે. આ જ પરમાત્માના વચનોનો સાર છે. તથા પરદ્રવ્યોના સાંયોગિક ભાવોનો, તેના દ્વારા થનારા સુખાભાસના અનુભવનો અને તેના તરફની પ્રીતિવિશેષનો આ જીવ જેમ જેમ ત્યાગ કરે છે. અને શુદ્ધ આત્મતત્ત્વના અનુભવનો જેમ જેમ રસ ચાખે છે. અધ્યાત્મદશાના જ્ઞાનનો આનંદ જેમ જેમ માણે છે. તેમ તેમ તેવા પ્રકારનાં શાસ્ત્રોનું વાંચન ચિંતન મનન તેને ગમે છે. અને સતત તે જ કરે છે, તેવા તેવા શ્લોકો પદો ગાથાઓ અને શાયરીઓ ગાય છે. ગવરાવે છે. પોતાના આત્માને તેના અર્થથી પલ્લવિત કરે છે. એનો જે આનંદ આનંદ થાય છે તે તો ખરેખર અનુભવગમ્ય માત્ર જ છે. શબ્દોથી ન સમજાવી શકાય તેવો છે. તથા મુક્તિના સુખના સ્વાદની એક છાયા છે. તેનો આંશિક અનુભવ છે. તેના દ્વારા આત્મા અક્ષય-અનંત શાશ્વત સુખના અનુભવને પ્રાપ્ત કરનારો બને છે. કે ૪-૧૫ | ચોથી ઢાળ સમાપ્ત ( ) (W Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy