SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અથવા કોઈ આવું સંકુલ ઉભુ કરીએ, તેવાં તેવાં કાર્યોમાં “મેં આ કાર્ય કર્યું” હું હતો તો આ સંસ્થા ઉભી થઈ, આ મારી સંસ્થા છે” હું કહું તેમ જ થશે ઈત્યાદિ કર્તુત્વબુદ્ધિ રાખવી, અભિમાન કરવું, ગૌરવ લેવું, વગેરે કેટલું ઉચિત ગણાય ? જો જ્ઞાનદશા જાગૃત રાખવામાં ન આવે તો આસક્તિ અને મમતામાં ડુબવા દ્વારા માત્ર કર્મ બંધાવનાર છે. પોતાની પૌગલિક વસ્તુઓને પણ કર્મોદયજન્ય હોવાથી પોતાની માનવાની નથી, એમ શાસ્ત્રકાર ભગવંતો સમજાવે છે, તો પછી પરાયી વસ્તુઓને તો પોતાની કેમ મનાય ? માટે સર્વ જીવ દ્રવ્યો અને સર્વ પુદગલ દ્રવ્યો પરાયાં માનીને તે આત્મા ! તું પર પરિણતિનો (વિભાવદશાનો) ત્યાગ કર. પ્રશ્ન- તમારી ઉપર સમજાવેલી વાત સર્વથા સાચી છે. અને ઘણી ઉંચી છે. એમ જણાય છે. પરંતુ જ્યારે જ્યારે અમે અમારા કમાયેલા ધન, વસ્ત્ર અને આહારાદિનું દાન કરતા હોઈએ, ત્યારે પોતાની અથવા અન્ય લોકો પાસેથી રૂપીયા લાવીને નવું સંકુલ ઉભુ કરીએ ત્યારે, કર્તુત્વબુદ્ધિ, માન અને ગૌરવ થઈ જ જાય છે. અને તે કર્તુત્વબુદ્ધિ વગેરેથી તમારા સમજાવ્યા પ્રમાણે શુભ-અશુભ સંકલ્પો કરવા દ્વારા પુણ્ય-પાપ કર્મો પણ અવશ્ય બંધાઈ જ જાય છે. પુણ્યકર્મ એ પણ એક પ્રકારનું બંધન (સોનાની પણ બેડી) જ છે. તો પછી કર્મો ન બંધાય અને પૂર્વે બાંધેલાં કર્મોથી મુક્ત થવાય તે માટે શું કરવું જોઈએ ? તેનો ઉપાય કયો ? તે સમજાવો. ઉત્તર= “જ્ઞાયકભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે” જે જે આત્માઓ આવા પ્રકારના દાનાદિ ક્રિયા કરવાના અવસરે પોતાના આત્માને કેવળ એકલા “જ્ઞાયકભાવમાં” રાખે છે, કર્તાભાવમાં લઈ જતા નથી તે આત્માઓ નવાં કર્મો બાંધતા નથી અને જુનાં કર્મો ખપાવીને અનંત આનંદમય મુક્તિસુખને સાધે છે. પ્રશ્ન- “એકલો જ્ઞાયકભાવ” એટલે શું? અને તે કેવી રીતે રખાય? ઉત્તર- આપણાથી બીજા કોઈ ધનવાન પુરુષો કોઈ દીન, દરિદ્ર તથા યાચકવર્ગને આહાર, વસ્ત્ર કે ધનાદિ આપતા હોય, અથવા કોઈ સંકુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy