SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ બને. રાગાદિના કારણે જે અનાદિકાળથી મિથ્યાજ્ઞાનાદિ છે, તેને અહીં રહેવું ભારે પડી જાય. નીકળે જ છુટકો, તે ટકી જ ન શકે, અને તે મુજ્ઞાનાદિ જવાથી આ આત્મા ઉત્તરોત્તર વધુ ને વધુ મોહની સામે મજબૂત બનતો જાય. આ પ્રમાણે ભાવનામૃતના સૂત્રોનો મુખપાઠ, તથા તેના અર્થનું સાંગોપાંગ યથાર્થજ્ઞાન તીર્થશ્રવણ દ્વારા થયે છતે આ આત્મા રાગાદિની સામે પાવરધા બને છતે હવે શું કરવાનું ? (આત્મસંપ્રેષણ) તે જણાવે છે : “તતશ' = તત્તર રાત્મક્ષ 'માત્મનઃ પ્રર્વે ક્ષમ્ = निरूपणमित्यर्थः । कथम् ? इत्याह - "अतिनिपुणम्" इति स्वतः परतः સ્વભાવામિઃ “તોષાપેક્ષા'= ટૂષયનીતિ તોષાઃ - રાઃ તક્ષય, "किमयं रागबहुलो, मोहबहुलो, द्वेषबहुलः, द्वेषबहुलो, वा" अत्युत्कटदोषપ્રતિપક્ષમાવનાથાસોપઃા રૂતિ ગાથાર્થ ! પ૨ | (૩) આત્મસંપ્રેક્ષણ : પ્રન્થિભેદવાળાપ્રવૃત્તયોગીને ચતુદશરણગમનાદિ પછી ભાવનાશ્રુતના પાઠથી તેના અર્થબોધથી, અને પુનઃ પુનઃ તીર્થશ્રવણથી કિલષ્ટ કર્મોનો અપગમ થયો છે, ભૂમિકા મજબૂત બની છે, મોહરાજા સામે લડવાનો નિર્ધાર કર્યો છે, યોગસામ્રાજ્ય વૃદ્ધિ પામ્યું છે, આત્માએ રાગાદિને બરાબર ઓળખી લીધા છે, તેનાં કારણોને પણ જાણી લીધાં છે, તેના તાપને-સ્વરૂપને અને જો પ્રતિકાર કરવામાં ન આવે તો આવનારાં માઠાં ફળોને પણ જાણી લીધાં છે, આ મોહરાજા લુચ્ચો છે, દગાબાજ યુધ્ધવાળો છે, તેની સામે લડવાનું છે, એટલે ભાવનામૃત પાઠ અને તીર્થશ્રવણમાત્રથી પ્રાપ્ત બળ પર્યાપ્ત નથી, તેના માટે હજા વ્યુહરચના કરવાની જરૂર છે, જો કાળજીપૂર્વક કામ લેવામાં ન આવે તો આટલા સુધી આવેલી સ્થિતિ હારી જવાય, મોટી સ્ટીમરમાં નાનું કાણું પણ ડુબાડનાર બને, નાના તણખલાની આગ પણ આખા ઘરને બાળી નાખે, માટે મારા આત્મામાં ક્યાં ક્યાં કેવા કેવા દોષો છે ? તેની હું ગવેષણા કરું? આ આત્મા એકાન્તમાં બેસીને આવો વિચાર કરે છે. શ્રુતપાઠ અને તીર્થશ્રવણથી આ મારો આત્મા જ્ઞાનયોગી બનેલ છે. આત્મવિચારણામાં પાવરધા બનેલ છે. તીર્થભૂત આચાર્યનું અવલંબન સ્વીકારેલ છે. હવે જરા પણ ભય નથી. બીજભૂત દોષને કાઢવા માટે તે દોષો ગુપ્તપણે પણ રહ્યા હોય તો એની ગવેષણા કરવી આવશ્યક છે. એથી ત્યારબાદ શ્રુતપાઠ અને તીર્થશ્રવણથી પરિપકવ બન્યા I ગોગશાક કાળા ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy