SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ઢાળ-૮ : ગાથા-૧૬-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ 4. વિષ૫ેવા:, સિદ્ધા: પØવશમેવાઃ, ૫ રીતે ‘નવો દ્વિધા, દ્રવ્યાધિ-પર્યાયાધિ પેવાત્ द्रव्यार्थिकस्त्रिधा नैगमादिभेदात् । ऋजुसूत्रादिभेदात् चतुर्धा पर्यायार्थिकः રૂમ હિડં નો, પણ ‘નવ નયા: इम एकवाक्यताई विभाग कीधो, ते सर्वथा मिथ्या जाणवो. नही तो "जीवाः संसारिणः सिद्धाः" इत्यादि विभागवाक्य पणि थावा पामइ. "1 દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીને નયચક્રગ્રંથમાં આમ કરતાં એટલે કે સાતનયને બદલે નવ નયો છે આમ દેખાડતાં “વિભક્તનો વિભાગ થાય” એટલે કે “વહેંચાયેલાને વહેંચવાનું થાય” આવો દોષ આવે છે. તેની સ્પષ્ટતા આ પ્રમાણે છે. જે મૂલવસ્તુ તેના ઉત્તરભેદોમાં વહેંચાઈ ગઈ હોય તે મૂલવસ્તુનો પણ એક વિભાગ કરવો આ હાસ્યાસ્પદ છે. નિષ્ફળ છે. જેમ કે મનુષ્યોના ચાર ભેદ છે ૧ બ્રાહ્મણ, ૨ ક્ષત્રિય, ૩ વૈશ્ય, અને ૪ શુદ્ર, આ ચાર ઉત્તરભેદોમાં બધા જ મનુષ્યો વહેંચાઈ ગયા છે. (આવી ગયા છે) કોઈ બાકી રહ્યા જ નથી. તો પછી ચાર ભેદને બદલે મૂલભેદ ૧ મનુષ્યનો ઉમેરીને ૧ બ્રાહ્મણ, ૨ ક્ષત્રિય, ૩ વૈશ્ય, ૪ શુદ્ર અને ૫ મનુષ્ય આમ પાંચ ભેદો કેમ કરાય? જે મનુષ્યની જાતિ (સર્વે મનુષ્યો) ૪ માં વહેંચાઈ ગઈ છે. વિભાગ થઈ ગયા છે. વિભક્ત બની ગયું છે. તે મનુષ્યને પણ જુદો વહેંચવો, તે મનુષ્યનો પણ એક જુદો ભેદ પાડવો. આ ન્યાયસંગત નથી. તેમ અહીં સમજવું. એવી જ રીતે પંચેન્દ્રિયના દેવનારકી-તિર્યંચ અને મનુષ્ય આમ ચાર ભેદ પાડી ફરીથી તેમાં પંચેન્દ્રિય ઉમેરીને દેવનારકી તિર્યંચ, મનુષ્ય અને પંચેન્દ્રિય આમ પાંચ ભેદ કરવા ઉચિત નથી. આમ કરવાથી વિભક્ત જેનો વિભાગ થઈ ગયો, તેનો પણ વિભાગ કરવો, અર્થાત્ જે વસ્તુ તેના ઉત્તરભેદોમાં એકવાર વહેચાઈ ગઈ, તેને પણ તેની લાઈનમાં વહેંચવી, આવું કરવું તે અનુચિત બની જાય છે. જે લોકોમાં હાસ્યસ્પદ બને છે. = જો ખરેખર આ રીતે વિભક્તનો પણ વિભાગ કરી શકાતો હોત. તો જૈન શાસ્ત્રોમાં જે નીચે મુજબ પાઠો આવે છે. તેને બદલે પાછળ લખેલા પ્રમાણે પાઠો હોવા જાઈએ. તે આ પ્રમાણે શુદ્ધ પાઠો ૧. જીવો બે પ્રકારના છે. એક સંસારી અને બીજા સિદ્ધ. ૨. સંસારી જીવો પૃથ્વીકાય આદિના ભેદથી છ પ્રકારના છે. ૩. સિદ્ધ જીવો જિનસિદ્ધ આદિ ભેદે ૧૫ પ્રકારના છે. આ જ રીતે ૧. નયો બે પ્રકારના છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના ભેદથી.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy