SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા—૧૨ ઉપચારથી જ ભેદ જણાવાય છે. જેમ મારા હાથની આંગળી પાકી છે અહીં “હાથની આંગળી આમ બોલાય છે. પરંતુ હાથથી આંગળી ભિન્ન વસ્તુ નથી. પરંતુ વિવક્ષાકૃત ઉપરિત ભેદ છે. તેમ અહીં સમજવું.' ८७ નો શુળ, ત્રીનો પદ્દાર્થ-દ્રવ્ય-પર્યાયથી ખુદ્દો ભાવ હો, તો ત્રીનો નય તહીરૂં-પામીરૂં, अनई सूत्र तो द्रव्यार्थ - पर्यायार्थ ए बिहु ज नय कहिया छइ. गुण होइ, तो गुणार्थ नय पणि कहियो जोइइ. उक्तं च सम्मत्तौ આ સંસારમાં જો “ગુણ’” નામનો કોઈ સ્વતંત્ર ત્રીજો પદાર્થ હોત, એટલે કે દ્રવ્ય અને પર્યાય નામના બે તત્ત્વોથી જુદો એવો “ગુણ” નામનો ત્રીજો પદાર્થ પણ ભાવાત્મકરૂપે (વાસ્તવિક પદાર્થપણે) હોત, તો જૈન દર્શનમાં વીતરાગસર્વજ્ઞ ભગવંતોએ ત્રીજો નય પણ કહેલો શાસ્ત્રોમાં ક્યાંઈક પણ પામત. કોઈક શાસ્ત્રોમાં પણ ત્રીજો નય લખેલો મળવો જોઈએ. અને સૂત્રોમાં તો માત્ર ૧ દ્રવ્યાર્થિક અને ૨ પર્યાયાર્થિક એમ બે જ નયો કહેલા છે. પરંતુ ત્રીજો નય ક્યાંઇ પણ કહ્યો નથી. મુળ દોડ્ = ગુણ નામનો ત્રીજો પદાર્થ જો હોત તો “ગુણાર્થિક’” નામનો નય પણ કહેલો હોવો જોઈએ. જૈન શાસ્ત્રોમાં ક્યાંય પણ ગુણાર્થિક નામનો ત્રીજો નય કહ્યો નથી. તેથી ત્રીજો નય જો નથી તો ત્રીજો પદાર્થ પણ તત્ત્વરૂપે એટલે કે પરમાર્થપણે (તાત્ત્વિકતાએ) નથી. માત્ર વિવક્ષાવશથી ઉપચારે જ ભેદ જણાવાય છે. પૂજ્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ સમ્મતિતર્કમાં કહ્યું છે કે— दो उण नया भगवया, दव्वट्ठिअ-पज्जवट्ठिया णियया । નફ ચ પુળ ગુનો વિ હુંતો, મુટ્ઠિમ નોવિ ખુનંતો "રૂ-૧૦૫ (સ. પ્ર.) जं च पुण भगवया, तेसु तेसु सुत्तेसु गोयमाईणं । પદ્મવાળા ળિયા, વારિયા તેળ પન્નાયા ।।રૂ-શ્oII (સ. પ્ર.) ભગવંત શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માઓ વડે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ નિયતપણે (નિશ્ચયપણે) બે જ નયો કહેવાયા છે. જો ગુણ નામનો ત્રીજો પદાર્થ પણ આ સંસારમાં હોત, તો ત્રીજો નય પણ યોગ્ય પણે જોડ્યો હોત. (અર્થાત્ ત્રીજો નય પણ કહ્યો હોત.) II૩-૧૦|| ભગવંત વડે તે તે સૂત્રોમાં ગૌતમગણધર આદિને (રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ ગુણોને) જે કારણથી “પર્યાય” એવી જ સંશા કહેલી છે. તેથી ગુણો તે ખરેખર પર્યાયો જ છે. II૩-૧૧||
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy