SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઢાળ-૨ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વભાવમાં જ અંતર્ભત કરવી. તૃણકાલે રહેલા પુગલોનો એવો સ્વભાવ જ છે કે તેમાંથી પ્રથમ દૂધ જ થાય, દધિ આદિ બનવાની શક્તિ હોવા છતાં પણ તે ન થાય અને તે દૂધ બનવામાં પણ ગોમુક્તતા કારણોતર મળે તો જ થાય. તેવી જ રીતે દૂધ રૂપે રહેલાં પુગલોનો પણ એવો સ્વભાવ જ છે કે તેમાંથી દધિ જ થાય. બીજાં કાર્યો ન થાય. અને તે પણ ખટાશનો યોગ મળે તો જ થાય, આ રીતે તે તે દેશ-કાલાદિકની અપેક્ષાએ એક દ્રવ્યમાં જ અનેકકાર્ય કરણ-એટલેકે અનેક કાર્ય કરવાનો સ્વભાવ છે. એમ માનવામાં કોઈ દોષ નથી. અને કારણોતરોની જે અપેક્ષા રાખવામાં આવે છે તે પણ સ્વભાવમાં જ અંતર્ભત ગણી લેવી. તે તે દ્રવ્યનો તેવો તેવો સ્વભાવ જ છે કે તે તે પ્રતિનિયત એવાં બીજાં કારણોતરો મલે તો જ તે તે કાર્ય કરે એટલે દ્રવ્યમાં કાર્યની શક્તિ હોવા છતાં કારણોતરની અપેક્ષાવાળી તે શક્તિ છે. આવો આ દ્રવ્યનો સ્વભાવ છે. તેડું તેથી તેનું તે કારણાન્તરોનું પણ વિપકનિષ્ફળપણું ન હોદ્દ થતું નથી. કારણાન્તરો મળે તો જ દ્રવ્ય પોતાનું કાર્ય કરવાના સ્વભાવવાળું છે. આમ માનવાથી તે કારણાન્તરોનું પણ નિષ્ફળપણું થતું નથી. નિશ્ચયનયથી આ જે કંઈ સમજાવવામાં આવ્યું છે કે કારણભૂત દ્રવ્ય એક છે અને કાર્યભૂત પર્યાયો અનેક છે. તથા પોતાનાં અનંત કાર્ય કરવાનો (પર્યાય પામવાનો) દ્રવ્યમાં સ્વભાવ હોવા છતાં ક્રમશઃ જે થવાનું હોય તે જ કાર્ય કરે અને કારણાન્તરો મળે ત્યારે જ વિવક્ષિતકાર્ય કરે આ સઘળી વાત પણ અશુદ્ધ નિશ્ચયનયથી જાણવી. અર્થાત્ શુદ્ધ નિશ્ચયનયનું માનવું આ નય કરતાં વળી કંઈક જુદુ છે. પ્રશ્ન- શુદ્ધ નિશ્ચયનયનું માનવું શું છે? તે તો સમજાવો. ઉત્તર તથા “શબ્દનિશ્ચયનયનડું મારું કાર્ય મિથ્યા છે” “માવાવ વયનાસ્તિ, वर्तमानेऽपि तत्तथा" इति वचनात्, कार्यकारणकल्पनारहित शुद्ध अविचलितरूप द्रव्य ज છે. તે નાખવું. - શુદ્ધ નિશ્ચયનયના મતે તો સર્વે પણ કાર્યો મિથ્યા છે. કાર્ય કારણ જેવું કંઈ છે જ નહીં. માત્ર પરિણામી સ્વભાવવાળું દ્રવ્ય જ છે. તૃણમાંથી દૂધ થયું એટલે વ્યવહારી લોકો દૂધને કાર્ય માને છે. પરંતુ વાસ્તવિક વિચારીએ તો દૂધ જેવું કોઈ કાર્ય જ નથી. કારણ કે તે દુગ્ધાત્મક કાર્ય, શું તૃણના પૂર્વકાળમાં હતું. અને થયું? કે તૃણના અંતકાળમાં હતું અને થયું ? કે તૃણના વર્તમાનકાળમાં હતું અને થયું ? આમ ત્રણ પક્ષો છે. આ ત્રણમાંથી એક પણ પક્ષ યુક્તિ સંગત નથી. તે આ પ્રમાણે- તૃણના પૂર્વકાળમાં તો કાર્ય છે જ નહિ. આ વાત જગત્મસિદ્ધ છે. હવે બીજો પક્ષ લહીએ કે તૃણના અંતકાળે છે. તો તે વાત પણ મિથ્યા છે. કારણકે તૃણનો નાશ થવાનો જે ચરમસમય છે. તે સમયે તૃણ નાશ પામતું હોવાથી
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy