SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ચાર તીર્થકર ભગવન્તો જઘન્યથી હોય છે. એટલે ૫૪=૨૦ તીર્થકર પરમાત્મા જઘન્યથી હોય છે. એકેક તીર્થંકરભગવાનની નિશ્રામાં ૧૦ લાખ કેવળજ્ઞાની અને ૧૦૦ ક્રોડ સાધુ-મુનિમહારાજાઓ હોય છે. એટલે ૨૦ તીર્થંકર પરમાત્માઓના મળીને ૧૦૪૨૦=૨૦૦ બસો લાખ એટલે બે ક્રોડ કેવળજ્ઞાની પુરુષો હોય છે. અને ૧૦૦૪૨૦=૨૦૦૦ બે હજાર ક્રોડ મુનિ મહાત્માઓ હોય છે. આ જઘન્ય સંખ્યાવાળા ૨૦ તીર્થંકર પરમાત્મા, ૨ ક્રોડ કેવળજ્ઞાની ભગવન્તો, અને ૨ હજાર ક્રોડ સાધુભગવન્તોને અમારા દરરોજ પ્રભાતસમયે પ્રણામ હોજો. આ રીતે આ ગાથામાં મહાપુરુષોને નમસ્કાર કરવામાં આવે છે. આ પ્રમાણે જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાવાળી પંચપરમેષ્ઠીને નમસ્કાર થાય છે. જ્યઉ સામિા, જયઉ સામિઅ, રિસહ સપ્તજિ ઉર્જિત પહુનેમિજિણ જયઉ વીર સચ્ચઉરિમંડણ ભરૂઅચ્છહિં મુણિસુવચ મુહરિ પાસ દુહ દુરિઆ ખંડણ અવરવિદેહિં તિલ્થચરા ચિહું દિસિ વિકિસિ ક્રિકેવિ તીઆણાગર સંપઇઆ વંદું જિણ સવ્વવિ II ૩ II - -- શબ્દાર્થ :જયઉ સામિઅ = હે સ્વામી ! તમે જય પામો, જયઉ સામિઅ = હે સ્વામી ! તમે જય પામો ! રિસહ સત્તજિ = શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવપ્રભુ ઉર્જિત પહુ નેમિણિ = ગિરનાર ઉપર શ્રી નેમિનાથ પ્રભુ જય વીરસચ્ચઉરિમંડણ = સાચોર નગરના આભૂષણ સમાન વીર પ્રભુ જય પામો ભરૂઅચ્છહિં મુણિ સુવ્રય = ભરૂચ નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મુહરિ પાસ = ટીટોઈ નગરમાં પાર્શ્વનાથ પ્રભુ દુહ-દુરિઅ-ખંડણ = દુઃખ-દુરિતનો નાશ કરનારા અવરવિદેહિં તિસ્થયરા = બીજાં ક્ષેત્રોમાં પણ જે તીર્થકર ભગવન્તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy