SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લાભકર્તા નથી એટલે ત્યાં છોડવા જેવો છે. આ પ્રમાણે જે વસ્તુ જ્યાં આદરવા જેવી-ઉપકારક હોય ત્યાં તે આદરવી જોઈએ અને જે વસ્તુ જ્યાં લાભકર્તા ન હોય તે વસ્તુ ત્યાં ત્યજવા જેવી છે. તેવી રીતે આ આત્મા જ્યાં સુધી નિમિત્તવાસી છે. નિમિત્તોના આધારે શુભ-અશુભ થાય છે. ત્યારે તેને અશુભમાંથી શુભ કરવા અલ્પ હિંસા હોવા છતાં અત્તે ત્યજવાનાં હોવા છતાં મૂર્તિ-મદિર જરૂરી છે. અને જ્યારે નિરાલંબન દશાવાળો બને ત્યારે સ્વાવલંબી હોવાથી આવાં પરનિમિત્તો સેવવાનાં હોતાં નથી. હવે જગચિંતામણિ સૂત્ર સંબંધી કેટલાક વિચારો કરીએ. આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય-પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ બનાવ્યું છે. અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં ઋષભદેવ પરમાત્માના પુત્ર ભરત મહારાજાએ ચોવીસે ભગવન્તોની પ્રતિમાઓવાળું મંદિર બનાવરાવ્યું છે ત્યાં આ ચૈત્યવંદન બનાવ્યું છે. ગૌતમસ્વામી પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા. (જગચિંતામણિ સૂત્ર-૧૧) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? ચૈત્યવદન કરું ? (ગુરુજી કહે કે “કરેહ') ઇછે જગચિંતામણિ, જગનાહ, જનગર, જગરખણ, જગબંધવ, જગસથવાહ, જગભાવવિખણ, અઠ્ઠાવયસંડવિયરૂવ, કમ્મવિણાસણ, ચઉવીસંપિ જિણવર જયંતુ અપડિહય સાસણ I 1 II. - શબ્દાર્થ :ઇચ્છાકારેણ = ઇચ્છાપૂર્વક સંદિસહક આજ્ઞા આપો ભગવન્= હે ભગવાન ચૈત્યવંદન કરું =ચૈત્યવંદન કરું ? ઇચ્છે= આપની જેવી આજ્ઞા જગચિંતામણિ= જગતમાં ચિંતામણિ=રત્ન જેવા જગનાહક જગતના નાથ જગગુરુ= જગતના ગુરુ જગબંધવ= જગતના બંધુ ૧ ગણધર = ગચ્છના નાયક, પ્રથમ શિષ્ય. ૨ લબ્ધિથી = પોતાની શક્તિથી. માણી શકો કt ::: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy