SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વ્રતકાર્ય =શ્રાવકજીવનનાં પાંચ અણુવ્રતાદિ ઉપરોક્ત બાર વ્રતોનું પાલન કરવામાં; (૩) શિક્ષાકર્મ =શાસ્ત્રોનો અભ્યાસ કરવો તે ગ્રહણશિક્ષા, અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવું તે આસેવનશિક્ષા, એમ બે પ્રકારની શિક્ષા પાળવામાં; (૪) ગારવ =ત્રણ જાતની લાલસાને ગારવ કહેવાય છે. (૧) ઘીદૂધ-દહીં વગેરે રસવાળી વસ્તુઓ ખાવાની ઇચ્છા તે રસગારવ, (૨) ધનધાન્યાદિ સમૃદ્ધિની ઇચ્છા તે ઋદ્ધિગારવ, અને (૩) સુખ-આરોગ્ય વગેરેની ઇચ્છા તે સાતાગારવ આ ત્રણ પ્રકારના ગારવ (લાલસાઓ) મેં કર્યા હોય; (૫) સંજ્ઞા =આહાર, ભય, મૈથુન અને પરિગ્રહાદિ સંજ્ઞાઓ તથા બીજી ૧૦-૧૬ સંજ્ઞાઓ સેવી હોય; (૬) કષાય =જેનાથી સંસાર વધે તે ક્રોધ-માનાદિ ચાર કષાયો કર્યા હોય; (૭) દંડ =જે અશુભયોગોથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ, મનદંડ, વચનદંડ, કાયદંડ કર્યા હોય; (૮) ગુપ્તિ =મનગુપ્તિ વગેરે ઉત્તમ એવી ત્રણ ગુપ્તિઓ પાળી ન હોય; (૯) સમિતિ =ઈર્યાસમિતિ વગેરે ઉત્તમ એવી પાંચ સમિતિ બરાબર પાળી ન હોય; - આ પ્રમાણે ઉપરોક્ત ધર્મકાર્યોમાં મારા જીવે જે કોઈ અતિચારો અથવા દોષો લગાડ્યા હોય તે તમામ અતિચારોની હું નિન્દા કરું છું. ૩૫ | અહીં વ્રતોના અતિચારોની, તથા પ્રાસંગિક ધર્માનુષ્ઠાનોના ૧ પ્રાસંગિક = પ્રસંગને અનુરૂપ. ૨ ધર્માનુષ્ઠાન = ધર્મક્રિયાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy