SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધી હું મિચ્છા મિ દુક્કડં માગું છું. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતનું સ્વરૂપ હવે પછી આવનારા વંદિત્તા સૂત્રમાં સમજાવીશું. ગુપ્તિ અને અને કષાયનું સ્વરૂપ પંચેન્દિયસૂત્રમાં કહેલું છે. જ્ઞાન-દર્શનાદિ આરાધનાના યોગો બરાબરસેવ્યા ન હોય, અને વિરપાનાનાં કાર્યો કર્યા હોય તે સંબંધી લાગેલાં પાપોની હું ક્ષમા માગું છું. (શ્રી નારંમિ-દંસણમિ = પંચાચાર સૂત્ર - ૨૮નાસંમિ દંસણંમિ અ, ચરસંમિ, તવોમિતરાવરિચંમિ આચરણે, આયારો, ઈસ એસો પંચહા ભણિઓ ૧ . આ સૂત્રની કુલ ૮ ગાથા છે. તેમાં જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું વર્ણન છે. તેમાં જણાવ્યા પ્રમાણે પ્રવર્તન કરીએ તો આચાર કહેવાય એટલે આ સૂત્રનું નામ “પંચાચાર”ની આઠ ગાથા એમ કહેવાય છે. અને જો તેમાં કહ્યા કરતાં ઊલટું આચરણ કરીએ તો અતિચાર (પાપ-દોષ) લાગે. તેથી તે પ્રમાણે ન વર્તીએ તો “અતિચાર”ની આઠ ગાથા એમ પણ કહેવાય છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) તપ, તથા (૫) વીર્ય આત્માના આ પાંચે ગુણોની વૃદ્ધિ કેમ થાય એવી જે જે આચરણા તેને શાસ્ત્રકારો આ પાંચ પ્રકારનો આચાર કહે છે. (જ્ઞાનની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ તે જ્ઞાનાચાર, (૨) દર્શનની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ તે દર્શનાચાર, એમ પાંચમાં સમજવું. હવે પછીની ગાથાઓમાં એકેક આચારનું વર્ણન સમજાવે છે. તે ૧ || “કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તલ અનિવણી વંજણ અલ્થ તદુભ, અઠવિહો નાણમાચારો | ૨ || (૧) જે કાળે જે ભણવાની શાસ્ત્રાજ્ઞા હોય તે કાળે તે ભણવું તે કાલાચાર, (૨) જ્ઞાની પુરુષોનો બરાબર વિનય કરવો તે વિનયાચાર, (૩) જ્ઞાની પુરૂષો, ભણાવનાર, તથા જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે અંદરનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy