SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કરી હોય, તે સર્વપાપોની હું ક્ષમા માગું છું. II - શ્રી ઇચ્છામિ કામિ સૂગ - ૨૭) ઇચ્છામિ કામિ કાઉસગ્ગ, જો મે દેવસિઓ આઈઆરો કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓ, ઉસરો, ઉમ્મગ્ગો, અકખો, અકરણિયો, દુઝાઓ, દુર્વિચિંતિઓ, આણાચારો, અણિચ્છિાળ્યો, અસાવગપાઉો , નાણે, દંસણે, ચરિત્તાચરિત્ત, સુચે સામાઈએ, વિહે ગુણ ચકહે કસાયાણ, પંચમહમણુવજાણં, તિણ ગુણવ્યવાણું, ચહ્રિસિફખાવયાણ, બારસવિહરસસાવગધખસ્સ જં ખંડિ, જે વિસહિઅં, તસ્સ મિચ્છા મિ દુકકડ II આ સૂત્રમાં દિવસ (તથા રાત્રિ) સંબંધી લાગેલાં પાપોનાં પ્રાયશ્ચિત સ્વરૂપે કાયોત્સર્ગ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવે છે. તથા જે જે પ્રકારે પાપોથયાં હોય, અથવાપાપોથવાનો સંભવ છે તે પ્રકારોનું વર્ણન કરીને તેવા તેવા પ્રકારો વડે બંધાયેલા પાપોની ક્ષમા માગવામાં આવે છે. - હે પ્રભુ! હું કાઉસ્સગ્ન કરવાને ઇચ્છું . મારા આત્માએ દિવસ સંબંધી જે કોઈ અતિચાર (પાપો) કર્યો હોય, તે કાયાથી વચનથી અથવા મનથી કર્યા હોય, ભગવન્તના સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરવાથી, ન કરવા યોગ્ય એવાં દુષ્ટ કાર્યો કરવાથી, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન જેવાં દુષ્ટ ન કલ્પે તેવાં (ઘાણી ચલાવવી, ઘંટી ચલાવવી વગેરે) કાર્યો કરવાથી, અનિચ્છનીય કાર્યો કરવાથી, જે કંઈ પાપો લગાડ્યાં હોય, તથા જ્ઞાન, દર્શન, દેશવિરતિ ચારિત્ર, શ્રુતજ્ઞાન અને સામાયિકાદિ ધર્માનુષ્ઠાનો કરવા-કરાવવામાં તથા ત્રણ પ્રકારની ગુપ્તિ પાળવામાં જે કંઈ ભૂલચૂક કરી હોય, તથા ચાર પ્રકારના કષાયો કર્યા હોય, તથા શ્રાવક જીવનનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો, એમ બાર પ્રકારના શ્રાવકધર્મના વ્રતોમાં જે કંઈ ખંડના કરી હોય તથા જે કંઈ વિરાધના – આશાતના કરી હોય, તે સંબધી સર્વે મારા પાપ મિથ્યા થજો. તે પાપો : :: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy