SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂખ્યો જ થાઉં છું. માટે આપ ત્યાગી છે. તેઓની સમક્ષ હું પણ આ પૌદ્ગલિક સુખોનો ત્યાગ માગું છું. એમ ત્યાગ માગવા માટે નૈવેદ્યાદિનો ત્યાગ કરવામાં આવે છે. જે દેવો ભોગના ઇચ્છુક હોય છે તેઓ રાગાદિથી ભરેલા હોવાથી ખરેખર પરમાત્મા જ નથી માટે પૂજ્ય જ નથી અને આ પરમાત્માઓ વીતરાગ હોવાથી નૈવેદ્યાદિ ભોગોથી પૂજ્ય નથી. પરંતુ આવા ભોગોના ત્યાગથી પૂજ્ય છે. માટે જ નૈવેદ્યાદિનો તેમની સમક્ષ ત્યાગ કરવામાં આવે છે. ભાવનાશીલ શ્રાવક-શ્રાવિકાઓ વડે પ્રભુ સન્મુખ ત્યજાયેલાં નૈવેદ્ય અને ફલાદિમાં જીવાત થવાથી વધુ જીવહિંસા ન થાય તે માટે પૂજારીને આપવાની સંઘે વ્યવસ્થા કરી છે. જેઓએ પોતાના હૈયેથી સમર્પિત કર્યું તેને તે કલ્પ નહિ માટે પૂજારીને આપવાની આ સંઘવ્યવસ્થા છે. ચામર ઢાળતી વખતે બોલવાનો દુહો : “બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે IT જઈ મેરુ ઘરી ઉસંગે, ઇન્દ્ર ચોસઠ મળીચા રંગે | પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા. ૧ પ્રદક્ષિણા કરતી વખતે બોલવાના દુહા : કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહીં પાર ! તે ભવભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં ત્રણ વાર || ૧ | ભમતીમાં ભમતાં થકાં ભવ ભાવઠ દૂર પલાય ! દર્શન-જ્ઞાન-વ્યાત્રિ રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય || ૨ || જન્મ મરણાદિ ભચ ટળે, સીઝે જે દર્શન કાજ | રહેનારાય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ || ૩ | જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ દેત જ્ઞાન વિના જગજીવડા, ન લહે તત્વસંકેત | ૪ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy