SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૪ જણાવે છે કે તત્ત્વ-આ ગ્રંથકાર જૈનાચાર્યશ્રી હવે બૌદ્ધને ઠપકો આપતાં પરસ્પર વિરોધ આવવાવાળો દોષ અર્થાત્ વિરુદ્ધવચન સવ 7 મતિ-તે જ પદાર્થ ઉત્તરક્ષણમાં નથી આવું માનનારા હે બૌદ્ધ! તને પણ કૃત્યત્રાપિ સમાનમેવઆ માન્યતામાં પણ સમાન જ છે. તને પણ વિરુદ્ધ વચનનો આ દોષ સમાન જ આવે છે. તે તું કેમ જોતો નથી? તથાદિતારા પક્ષમાં તે દોષ આ રીતે આવે છે. યદ્િ સ વ-જો પદાર્થ તે જ છે. તો પછી થં ન મતિ= તે નથી એમ કેમ કહેવાય? અને અમવન્વા=જો ઉત્તરક્ષણમાં તે પદાર્થ ન જ રહેતો હોય. અભાવાત્મક જ બનતો હોય તો થં સ કૃતિ-તે જ આ પદાર્થ છે. એમ કેમ કહેવાય? જો તે જ પદાર્થ ઉત્તરક્ષણમાં છે. તો તે નથી” એમ કેમ કહો છો? અને જો ઉત્તરક્ષણમાં “નથી જ” તો આ પદાર્થ છો? માટે વિરુદ્ધમેતત્ =હે બૌદ્ધ! તારૂં વચન પણ સાંખ્યની જેમ પરસ્પર વિરુદ્ધ જ છે. આ પ્રમાણે બૌદ્ધની માન્યતાનું ખંડન કરવામાં ગ્રંથકારે “વિરુદ્ધ વચન”નો એક દોષ જણાવ્યો. હવે તેમાં બીજો દોષ પણ આવે છે તેનો અભ્યુચ્ચય કરતાં (સાથે જણાવતાં) કહે છે કે “તે જ” છે. એમ કેમ કહો ૫૨૮ તવ્રુત્ત્વન્ત્યાવિત: તે અભાવની ઉત્પત્તિ આદિથી પણ તારૂં આ વચન વિરુદ્ધ છે. ઉત્તરક્ષણમાં જો સર્વથા અપૂર્વ જ પદાર્થ ઉત્પન્ન થતો હોય તો તે પદાર્થ પ્રથમ અસત્=હતો અને પછી ઉત્પન્ન થાય છે. એવો જ અર્થ થયો. અર્થાત્ પ્રથમક્ષણે જેની સર્વથા અસત્તા જ છે તેવો સર્વથા અપૂર્વ જ પદાર્થ ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થાય છે. એમ અર્થ થયો. પરંતુ જે સર્વથા અસત્=અભાવાત્મક હોય તેની ઉત્પત્તિ કેમ થાય? જેમ શશશૃંગ, વન્ધ્યાપુત્ર અને આકાશપુષ્પ આદિ પદાર્થો સર્વથા અસત્=અભાવાત્મક છે તેથી તેની ઉત્પત્તિ થતી જ નથી. તેવા પદાર્થોની ઉત્પત્તિ માનવી એ વિરુદ્ધ છે. તેવી રીતે તમારા પક્ષમાં પણ ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થતો પદાર્થ પૂર્વક્ષણોમાં સર્વથા ૧. બૌદ્ધમતે-સવ 7 મતિ । તે જ નથી થતો. જે પૂર્વ ક્ષણે હતો તે પછીના ક્ષણમાં નથી થતો. હવે જો નથી થતો, તો તેને તે જ (પૂર્વક્ષણવર્તી) કેમ કહેવાય? તે તે જ એમ કહો તો નથી થતો એમ કેમ કહેવાય? આ તો દેખીતો વિરોધ ગણાય. સ એટલે પૂર્વક્ષણભાવી પદાર્થ. તે વર્તમાન ક્ષણે જો ન જ હોય તો તેને માટે એવો પ્રયોગ ન થઇ શકે. અને જો વર્તમાનક્ષણે તેના માટે સ એવો પ્રયોગ કરવો હોય તો તેવો પ્રયોગ તેનું વર્તમાનક્ષણે અસ્તિત્વ હોય તો જ થઇ શકે, માટે તેના માટે વર્તમાનક્ષણ 7 મતિ એમ ન કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy